પોરબંદરમાં એન.ડી.આર.એફ.ની ટીમનું આગમન થયું છે અને ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આફતો અંગે માહિતી એકત્રિત કરવા અને જનજાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં તા.૧૫.૫.૨૦૨૫ સુધી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ૬-બટાલિયન, જરોદ, વડોદરાની ટીમ દ્વારા "જિલ્લાનો પરિચય તથા આપત્તિ આધારિત જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ભારત સરકારની સુચના મુજબ એન.ડી.આર.એફ. ટીમ દ્વારા આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં કુટુંબીકરણ (જિલ્લાનો પરિચય) અને જનજાગૃતિ અભિયાન માટે સુચના આપવામાં આવેલ છે. એન.ડી.આર.એફ. ટીમ દ્વારા પોરબંદર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો, પુરગ્રસ્ત વિસ્તારો, મોટા ડેમ, ટનલ, મહત્વની સંસ્થાઓ અને મોટા અકસ્માતના જોખમી એકમોની મુલાકાત અને સંબંધિત માહિતી એકઠી કરવા તથા આપત્તિને રોકવા માટે પ્રજાજનો (સરકારી અને બિનસરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સંવેદનશીલ ઘાટ પર કામ કરતા લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેની આડઅસરોને ઘટાડવા માટે) વગેરેને માહિતી અને તાલીમ આપવાના ભાગપે પોરબંદર જિલ્લા ખાતે તા.૧૫.૫.૨૦૨૫ સુધી દિન-૧૫ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ દરમિયાન એન.ડી.આર.એફ. ટીમ સાથેના સંબંધિત લાયઝન અધિકારી પ્રકાશભાઈ તથા પોરબંદર જિલ્લાના ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ ઓફિસર ગૌતમભાઈ વાળા અને ટીમ દ્વારા હાલ સુધીમાં પોરબંદર શહેરી વિસ્તારના અદાણી ગેસ , સુપર ગેસ સહિતના મેજર હઝાર્ડ વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ તા. ૧૫.૫.૨૦૨૫ સુધી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવશે અને પ્રજાજનો માટે માહિતીપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech