આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથેના તેમના સંબંધોને ભગવાન રામ અને લક્ષ્મણ જેવા ગણાવ્યા. તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે તેમને કોઈ રાવણ અલગ નહીં કરી શકે.
બીજેપીના દિલ્હી યુનિટના વડા વીરેન્દ્ર સચદેવાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે સિસોદિયા નાટકના રાજા છે અને આવતા મહિને રામલીલા પહેલા પોતાને લક્ષ્મણ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ જંતર મંતર ખાતે કેજરીવાલની પ્રથમ જનતા કી અદાલત રેલીમાં સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભાજપ તેમને અરવિંદ કેજરીવાલથી અલગ કરવા માંગે છે, પરંતુ કોઈ રાવણ પાસે એટલી શક્તિ નથી કે તે ભગવાન રામથી લક્ષ્મણને અલગ કરી શકે.
તેમણે કહ્યું, જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ સરમુખત્યારશાહીના રાવણ સામે રામ બનીને આ લડાઈ લડતા રહેશે, હું લક્ષ્મણ તરીકે તેમની સાથે ઉભો રહીશ. સિસોદિયાએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી જનતા તેમને પ્રામાણિક તરીકે સ્વીકારે નહીં ત્યાં સુધી તેઓ દિલ્હીમાં નાયબ મુખ્ય પ્રધાન કે શિક્ષણ પ્રધાનનું પદ સંભાળશે નહીં.
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં ગયા બાદ તેમને ભાજપમાં જોડાવાની લાલચ આપવામાં આવી હતી. જોકે, ભાજપ્ના દિલ્હી એકમના વડાએ આ આરોપ્ને નકારી કાઢ્યો હતો અને તેને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. સચદેવાએ કહ્યું, આ આશ્ચર્યજનક છે કે જેલમાંથી છૂટ્યાના દોઢ મહિના પછી, તેને આવી વાત કરવાનું યાદ આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech