મૂળ ભાડેરના વતની અને હાલ રાજકોટમાં સહકાર મેઈન રોડ પર રહેતો યુવાન પરિવાર સાથે ધોરાજીના ભાડેર ગામે માતાજીના હવનમાં ગયો હતો. ત્યારે રાજકોટના કૃષ્ણનગરમાં રહેતા શખસે તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે? કહી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા તેના પિતાને પણ છરી ઝીંકી દીધી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુવાનના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ખૂની હુમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા મૂળ ધોરાજીના ભાડેરના વતની અનુપસિંહ કેશુભા વાઘેલા (ઉ.વ 68) દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં જામનગર રોડ પર કૃષ્ણનગર શેરી નંબર ત્રણમાં રહેતા ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ આપ્યું છે.
વૃદ્ધે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં પુત્ર ઘનશ્યામસિંહ છે જે જમીન મકાન લે-વેચનું કામ કરે છે. તારીખ 12/10 ના તેઓ પરિવાર સાથે મૂળ વતન ભાડેર માતાજીના હવનમાં દર્શન માટે ગયા હતા. મંદિરે દર્શન કરી રાજપૂત સમાજમાં પ્રસાદ લેવાનો હોય તેથી ત્યાં જતા હતા દરમિયાન તેના કુટુંબી ભાઈનો દીકરો ઘનશ્યામસિંહ વાઘેલા છરી લઈ ધસી આવ્યો હતો અને ફરિયાદીના પુત્રને કહ્યું હતું કે તું મારી ઘરવાળી સાથે ફોનમાં કેમ વાતો કરે છે? તેમ કહી ગાળો આપી તેને પેટનાભાગે તથા છાતીના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન ફરિયાદી બચાવવા વચ્ચે પડતા તેમને પણ હાથનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
બાદમાં પિતા-પુત્ર બંને વાડીના દરવાજાની અંદર જતા રહેતા આ શખસ બોલવા લાગ્યો હતો કે મારી ઘરવાળી સાથે વાતો કરવાની ના પાડી છે તો પણ કેમ વાતો કરશ હવે ભાડેરમાં પગ મૂકીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી જતો રહ્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ ધોરાજી બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં આ અંગે તેના પિતાએ આ ફરિયાદ નોંધાવતા પાટણવાવ પોલીસે આરોપી ઘનશ્યામસિંહ વાઘેલા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech