પંજાબના લુધિયાણામાં શિવસેના તક્સલીના નેતા સંદીપ થાપર ઉર્ફે ગોરા પર નિહંગોએ જીવલેણ હુમલો કર્યો હતો. માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલની બહાર ત્રણ નિહંગોએ તેમના પર તલવાર વડે હુમલો કર્યો અને ત્યાર બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સંદીપ થાપર શુક્રવારે સવારે સંવેદના ટ્રસ્ટના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હોસ્પિટલ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ લોકો એક સ્કૂટર પર આવે છે. પછી એક આરોપી વ્યસ્ત રોડ પર જ સંદીપ થાપર પર તલવાર વડે હુમલો કરવાનું શરૂ કરે છે. તે નીચે પડી જાય છે. આ પછી તે ચારથી પાંચ વખત હુમલો કરે છે. લોકો દૂરથી તેમને છોડવા માટે બૂમો પાડે છે. થોડીવારમાં તેઓ સ્કૂટર પર ભાગી જાય છે.
ઘટના સમયે આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. જોકે આરોપીઓના હાથમાં ધારદાર હથિયારો જોઈને તેમની નજીક જવાની કોઈની હિંમત થઈ ન હતી. આરોપી સંદીપ થાપરને લોહીલુહાણ કરીને ભાગી ગયા હતા. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. તરત જ લોકો તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ડીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.
થાપર ખાલિસ્તાન વિરુદ્ધ ઘણું બોલે છે
થાપર અવારનવાર ખાલિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપે છે. આ સિવાય તેણે પંજાબમાં ખેડૂતોના આંદોલન વિરુદ્ધ પણ નિવેદન આપ્યું હતું. જ્યારે હુમલો થયો ત્યારે થાપર અને તેનો ગનમેન પણ ત્યાં હાજર હતો. જો કે તેનું કહેવું છે કે નિહંગોએ તેને પકડી લીધો અને તેના હથિયારો પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. થાપરના સમર્થકોએ કહ્યું કે તેમને ઘણા સમયથી ધમકીઓ મળી રહી હતી અને તેમને માત્ર એક જ ગનમેન આપવામાં આવ્યો હતો.
ડીસીપી જસકિરણજીત સિંહ તેજાએ જણાવ્યું કે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. જ્યારે ડીસીપીને થાપરના ગનમેન અંગે પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે જો કોઈ બેદરકારી હશે તો તેની તપાસ કરવામાં આવશે. વિભાગ તેની સામે કાર્યવાહી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech