પોરબંદરમાં ૧૫૦ મણ ઘાસચારો મનપાએ કર્યો જપ્ત

  • June 07, 2025 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેરમાં જાહેરમાં ઘાસચારો વહેચવાની અને નાખવાની મનાઇ છે છતાં ઘણા લોકો આવુ કરી રહ્યા છે અને ઘાસચારાનું વેચાણ પણ અનેક જગ્યાએ થઇ રહ્યુ છે ત્યારે મનપાના તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ૧૫૦ મણ ઘાસચારો જપ્ત કર્યો હતો.


પોરબંદર નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને નાયબ કમિશ્નર મનન ચતુર્વેદીની સુચનાથી સેનીટેશન વિભાગ દ્વારા સેનીટેશન ઇન્સ્પેકટર ઓફિ.સર જગદીશભઇ ઢાંકીના માર્ગદર્શન હેઠળ શહરેના એસ.એસ.સી. રોડ પરથી પોલીસ પ્રોટેકશન સાથે અંદાજે ૧૫૦ મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો.આ ઘાસચારો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application