પોરબંદરમાં રોડમાં અડચણ‚પ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન

  • May 02, 2025 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની માધવાણી કોલેજ સામે સાંઇબાબાના મંદિર પાછળ રોડને અડચણ‚પ કોઇએ નાનુ ખાનગીદેવસ્થાન બનાવ્યુ હતુ જે ગેરકાયદેસર હોવાથી મનપાએ ડિમોલીશન કર્યુ હતુ.
પોરબંદર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો ખડકાઇ ગયા છે તેના ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે ત્યારે માધવાણી કોલેજ સામે આવેલ સાંઇબાબાના મંદિર પાછળ શંકરાચાર્ય નગરમાં રોડ ઉપર જ ખાનગી નાનુ મંદિર કોઇએ બનાવ્યુ હતુ. કોઇ ભગવાનનું નહીં પરંતુ કોઇ પરિવારના સુરાપુરાનું હોય તેવું આ મંદિર નડતર‚પ હોવાથી મનપાના તંત્રએ તેની ઉપર નોટીસ ચોટાડી હતી પરંતુ કોઇ જ તેની જવાબદારી લેવા આગળ આવ્યુ ન હતુ. અંતે ટાઉનપ્લાનીંગ અને એસ્ટેટ શાખાની ઉપસ્થિતિમાં આ મંદિરનું ડીમોલીશન કરવામાં આવ્યુ હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application