રાજકોટના મધ્યમ વર્ગીય પરિવારો માટે માઠા સમાચાર છે કે ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદથી બધં થયેલા રાજકોટ મહાપાલિકાના ૨૧ કોમ્યુનિટી હોલ હજુ એકાદ માસ સુધી બધં જ રહેશે. કોમ્યુનિટી હોલ પુન: કાર્યરત કરવા મામલે તારીખ પે તારીખ જેવી સ્થિતિ સર્જાઇ છે, સાત–સાત મહિનાથી બધં રહેલા હોલ ૧૫ ફેબ્રુઆરીથી ખુલે તો ખુલે જેવી સ્થિતિ છે.
મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ બધં હોવાની સ્થિતિનો લાભ લઇ ખાનગી હોલ માલિકો મોઢે માંગ્યા ભાવ પડાવી રહ્યા છે.
શહેરના મધ્યમ વર્ગીય પરિવારો પ્રસંગો માટે મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલને પ્રાધાન્ય આપતા હોય છે. વ્યાજબી ભાડું અને તમામ પ્રકારની સુવિધા ધરાવતા મહાપાલિકાના હોલના બુકીંગ માટે લગાળામાં પડાપડી થતી હોય છે પરંતુ ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ ફાયર સેટી મુદ્દે મહાપાલિકાના તમામ હોલને તાળા લાગી જતાં છેલ્લા સાત–સાત માસથી અનેક પરિવારો હેરાન થઇ રહ્યા છે. મહાપાલિકાના કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટી સિસ્ટમનું કામ હજુ પણ અધું હોય ગઇકાલે મકર સંક્રાતિ બાદ આજે કમુરતા ઉતર્યા પછી આજે તા.૧૫ જાન્યુઆરીથી પણ કોમ્યુનિટી હોલનું બુકિંગ શ કરાયું નથી.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગત મુજબ ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ ફાયર સેટી મુદ્દે મહાપાલિકાના તમામ કોમ્યુનિટી હોલનું બુકિંગ બધં કરાયું હતું. અમુક કોમ્યુનિટી હોલમાં જુનું બાંધકામ હોય સુધારા–વધારા કરવાના થતાં હોવાથી તેમજ ફાયર સેટીના નિયમ મુજબના સાધનોનું ઇન્સ્ટોલેશન કરવાનું હોય તમામ કોમ્યુનિટી હોલ સીલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફાયર સેટીના સાધનોના ઇન્સ્ટોલેશન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં વધુ સમય પસાર થઇ ગયો હતો. અને ટેન્ડર મુજબ કામ આપ્યા બાદ ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી શ કરવામાં આવી હતી છતાં દિવાળી પછીના લગાળામાં શહેરીજનોને કોમ્યુનિટી હોલની સુવિધાનો લાભ મળી શકયો ન હતો.
તાજેતરમાં મહાપાલિકાના એસ્ટેટ વિભાગ તેમજ જે કોમ્યુનિટી હોલ જે ઇજનેરના કાર્યક્ષેત્ર હેઠળ આવતો હોય તેમની મિટિંગ મળી હતી તેમાં ફાયર સેફટીના સાધનો કયાં સુધીમાં ઇન્સ્ટોલ થશે, બાંધકામમાં સૂચવ્યા મુજબના ફેરફારો કેટલા સમયમાં થશે, ફાયર બ્રિગેડનો આ મામલે શું અભિપ્રાય છે સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી પરંતુ તમામ કોમ્યુનિટી હોલ ફરી કયારથી શ થશે અને કઇ તારીખથી બુકિંગ લેવાનું શ કરવું ? તે અંગે કોઇ તારીખ ફાઇનલ થઇ શકી ન હતી. આમ છતાં હજુ એકાદ મહિનો થશે તેવો સાર્વત્રિક સુર ઉઠો હતો
અમૃત ઘાયલ અને અભય ભારદ્રાજ હોલનું બુકિંગ શરૂ
મહાપાલિકાની એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કુલ ૨૩માંથી બે એસી કોમ્યુનિટી હોલ કાર્યરત થઇ ગયા છે, યુનિ.રોડ ઉપર આકાશવાણી ચોક પાસેનો અમૃત ઘાયલ હોલ અને ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર નાગરિક બેન્ક મુખ્યાલય બાજુના ચંદન પાર્ક મેઇન રોડ ઉપર આવેલા અભય ભારદ્રાજ હોલમાં ફાયર સેફટી સિસ્ટમનું કામ પૂર્ણ થઇ જતા બુકિંગ શ કરાયું છે. અન્ય હોલમાં ફાયર સેફટીનું કામ તબક્કાવાર પૂર્ણ થશે તેમ બુકિંગ લેવાનું શ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech