૧૫મી ગુજરાત વિધાનસભાના સભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું આજે હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ નિધન થયું છે. સાદગી અને મૃદુ સ્વભાવના માલિક એવા ગોવિંદભાઈએ અંતિમ શ્વાસ લેતા જ ભારતીય જનતા પાર્ટીએ એક અનુભવી અને નિષ્ઠાવાન અગ્રણી ગુમાવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે ગોવિંદભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોના તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા. ઉમરેઠની જનતા માટે આ સમાચાર માની ન શકાય તેવા આઘાતજનક રહ્યા છે.
સાદગી અને જનસેવાનો પર્યાય: રાજકીય સફર
ગોવિંદભાઈ પરમારની ઓળખ એક એવા નેતા તરીકેની હતી જે હંમેશા લોકોની વચ્ચે રહેતા હતા. તેઓ ૧૫મી ગુજરાત વિધાનસભામાં ઉમરેઠ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેતા. ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા ગોવિંદભાઈએ વહીવટી કુશળતા સાથે લોકકલ્યાણના અનેક કામોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સામાન્ય કાર્યકર તરીકે રાજકીય સફર શરૂ કરી તેઓ પોતાની મહેનત અને પ્રમાણિકતાથી મંત્રી પદ સુધી પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application