કડીમાં માત્ર 30 હજારની ઉઘરાણીથી કંટાળેલી માતાએ તેની આઠ વર્ષની દીકરી સાથે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતાએ આપઘાત કરતાં પહેલા એક ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, 30 હજાર રૂપિયા આપતા નથી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતાં
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના કડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતાં. જેમાં આઠ વર્ષની ત્રીજા ધોરણમાં ભરતી દીકરી સાથે માતાએ આપઘાત કરી લીધો હોવાનું જણાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નર્મદા કેનાલમાંથી માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો હતો. કેનાલ પાસેથી ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી હતી. બંને સાણંદના મખીયાવ ગામની રહેવાસી હોવાનું માલૂમ પડ્યું હતું.
કડી પોલીસે ચિઠ્ઠી,મોબાઈલ અને થેલી કબજે કરી
કેનાલ પાસેથી મળેલી ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, કણજરી ગામના નટુભાઈ જોડેથી 30 હજાર રૂપિયા લેવાના છે. જે આપતા નથી જેથી મને રસિકની બીક લાગે છે, હું કેનાલમાં પડું છું તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કડી પોલીસે ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ સહિતની મદદથી પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. માત્ર 30 હજારની ઉઘરાણી મુદ્દે આ ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech