સલાયામાં 11 કે.વી.ની લાઇનમાંથી વીજશોક લાગતા માતા-પુત્રના મોત

  • October 28, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળક છત પર રમતા રમતા વાયરને અડી જતા જોરદાર કરંટ લાગ્યો, બચાવવા જતા માતાને પણ વીજશોક લાગ્યો


જામ ખંભાળિયા તાલુકાના સલાયામાં છત પર રમતા રમતા બાળકને 11 કે.વી.ના વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તેનું કલાકોમાં જ મોત થયું હતું જ્યારે તેને બચાવવા છતાં તેની માતાને પણ વીજશોક લાગ્યો હોય જેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા આજરોજ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. માતા પુત્રના મોત થતા મુસ્લિમ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતો જમીલ ઇમરાનભાઈ મોગલ નામનો સાત વર્ષનો બાળક ગત તા. 10/9 રોજ બપોરના પોતાના ઘરે છત પર રમતો હતો ત્યારે અહીં મકાન પરથી પસાર થતી 11 કેવીની વીજ લાઇનને અકસ્માતે અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો પુત્રને કરંટ લાગ્યાનું જોઈ જ હતા તેની માતા રીઝવાનાબેન પુત્રને બચાવવા માટે જતા તેને પણ કરંટ લાગ્યો હતો જેથી માતા પુત્ર બને ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કલાકોમાં જ માસુમ બાળક જમીનનું મોત થયું હતું જ્યારે તેની માતા રીઝવાના ને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગઈકાલ રાત્રિના રીઝવાનાબેને પણ હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.પરિણીતાને સંતાનમાં બે પુત્ર હોવાનું તેમજ તેમના પતિ ઇમરાનભાઈ વહાણવટનું કામ કરતા હોવાનું માલુમ પડ્યું છે. વીજ શોકથી માતા-પુત્રના મોતની આ ઘટનાને પગલે મુસ્લિમ પરિવારમાં શોખ છવાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application