સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી 3લાખથી વધુ ક્યુસેક પાણીની આવક

  • August 11, 2024 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરદાર સરોવર નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 135.16 મીટર પહોંચી ગઈ છે. આ સાથે  નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3,09,359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે


વિગતવાર વાત કરીએ તો ઉપરવાસમાંથી થઈ રહેલ સતત પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 135.16 મીટર પહોંચી છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3,09,359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે, નર્મદા ડેમમાં 3929 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. 


87 ટકા ભરાયો ડેમ
નર્મદા ડેમમાં 87 ટકા જળસંગ્રહ થયું છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 44,214 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 22,811 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 1,57,025 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.


ડેમના 9 દરવાજા ખોલાયા હતા 
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા હતા. જેને લઈને વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application