સમગ્ર દેશમાં આગામી કેટલાક મહિનામાં પરમિનેન્ટના સ્થાને ટેમ્પરરી અને પાર્ટ–ટાઈમ જોબ્સની તકો વધુ ઉભી થશે. આરબીઆઈનું અનુમાન છે કે, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫માં સર્વિસ અને ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથે મેન્યુફેકચરિંગ સેકટરમાં સારી ગ્રોથ જોવા મળી રહી છે. કંપનિઓએ વાર્ષિક ટર્નઓવરમાં પણ સારો વધારો થવાનું અનુમાન લગાવ્યું છે. સાથે જ તહેવારની સીઝન પણ આવી રહી છે. તેનાથી મોટી સંખ્યામાં રોજગારની તકો ઉભી થશે.
આરબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકિય વર્ષ ૨૦૨૪–૨૫ દરમ્યાન ત્રિમાસિક કવાર્ટરમાં અર્થવ્યવસ્થાના પ્રમાણમાં સ્થિતિ સારી થશે, જેનાથી આ સેકટરમાં નવા લોકોને નોકરીઓ પર રાખવાની જરત પડશે. જો કે, તેમાં ઘણી નોકરીઓ એવી પણ હશે જે મર્યાદિક સમય માટે જ હશે. એટલે કે અસ્થાયી નોકરી હશે. આરબીઆઈએ ઈન્ડસ્ટ્રીયલ આઉટલુક સર્વેનો હવાલો આપતા જણાવ્યું કે, ઈન્ફ્રા અને સર્વિસ સેકટરનું ભવિષ્ય સાં છે. આ સેકટરમાં કેટલીક મોટી પરિયોજનાઓને મંજુરી આપવામાં આવી છે, જેનાથી રોજગારની તકો ઝડપથી ઉભી થશે.
આરબીઆઈની સ્ટેટ ઓફ ધ ઈકોનોમી રિપોર્ટ અનુસાર, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સર્વિસ સેકટર અને મેન્યુફેકચરિંગનું કામ ઝડપથી થઈ રહ્યું છે.
આ ત્રણેય કામ કરનાર કંપનીઓનો વેપાર અને ઉત્પાદન અત્યાર સુધી સાં રહ્યું છે. અને બાકિના કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ છોડી દે તો બાકીના બે ક્ષેત્રોમાં વધુ ઝડપથી તેજી આવવાની સંભાવના છે. કારણ કે, કેટલાક પ્રોજેકટ સરકારના સ્તર પર પહેલા કવાર્ટરમાં સ્વીકૃત થયા છે, જેના પર આગામી મહિનામાં કામ શ થવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
May 12, 2025 12:26 PMરાજકોટ : કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટની દીવાલો પાનની પિચકારીઓથી ચિતરાઈ
May 12, 2025 12:26 PMરાજકોટ : શીતલ પાર્ક પાસે યુવતીની છેડતી કરતા બબાલ
May 12, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech