ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કોમેડિયન ભારતી સિંહ થાઇલેન્ડમાં વેકેશન માણવા બદલ ટ્રોલ થઈ રહી છે. ઘણા લોકોએ તેના પર દેશમાં પ્રવર્તતા તણાવ દરમિયાન રજાઓનો આનંદ માણવાનો આરોપ લગાવ્યો છે. હવે ભારતી સિંહે રડતા રડતા સાચી વાત કરી છે.
ભારતી સિંહે થાઈલેન્ડમાં હોવાનું કારણ જણાવ્યું
ભારતી તેના યુટ્યુબ ચેનલ પરના તેના તાજેતરના વ્લોગમાં, થાઇલેન્ડમાં હોવાને કારણે ટ્રોલિંગનો સામનો કરી રહી હોવાથી તે ભાવુક થઈ ગઈ હતી. દરમિયાન, વધતા તણાવ વચ્ચે તેમનો પરિવાર અમૃતસરમાં અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે. ભારતીએ વીડિયોમાં મળેલી કેટલીક હૃદયદ્રાવક ટિપ્પણીઓ શેર કરી, જેમ કે 'તમારો પરિવાર અમૃતસરમાં હોય ત્યારે તમને થાઇલેન્ડમાં રહેતા શરમ આવવી જોઈએ' અને 'દેશમાં તણાવ છે અને તમે થાઇલેન્ડમાં ફરો છો.'
ભારતીએ અમૃતસરમાં રહેતા પરિવાર વિશે શું કહ્યું?
ભારતીએ પોતાના વીડિયોની શરૂઆત અમૃતસરમાં પોતાના પરિવારની હાજરીનો સ્વીકાર કર્યો અને પોતાના દર્શકોને ખાતરી આપી છે કે તેઓ સુરક્ષિત છે. ભારતીએ કહ્યું કે હા, શહેર અને દેશ અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે પણ મારો પરિવાર સુરક્ષિત છે. મને મારા દેશ અને સરકાર પર પૂરો વિશ્વાસ છે. ભારત એક ખૂબ જ મજબૂત રાષ્ટ્ર છે અને તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહી. જ્યારે હું તમારી કોમેન્ટ્સ વાંચું છું, ત્યારે મને ગુસ્સો નથી આવતો. મને ફક્ત એવું લાગે છે કે તમે લોકો ખૂબ જ ભોળા છો.
ભારતીએ કહ્યું કે તે થાઇલેન્ડ વેકેશન માટે નહીં પણ કામ માટે આવી છે
કોમેડિયને વધુમાં કહ્યું કે પરિવાર સુરક્ષિત છે અને ઉમેર્યું કે જ્યારે પણ તે તેમને ફોન કરે છે ત્યારે તેઓ હંમેશા સ્મિત સાથે જવાબ આપે છે. ભારતીએ કહ્યું કે હું બધાને સ્પષ્ટ કરવા માંગુ છું કે હું અહીં કામ માટે છું, વેકેશન માટે નહીં. અમારે 10 દિવસનું શૂટિંગ હતું અને અમે 3-4 મહિના અગાઉથી પ્રોજેક્ટ માટે કમિટમેન્ટ કરી હતી. તેમાં ઘણી તૈયારી કરવામાં આવી છે અને છેલ્લી ઘડીએ ના પાડવી એ પ્રોફેશનાલિઝ્મ નથી.
વીડિયોમાં એક સમયે ભારતી રડવા લાગી. તેને કોમેન્ટ્સ યાદ આવી જેમાં તેને લોકોએ કહ્યું કે તેણીને તેના પરિવાર અને દેશની પરવા નથી. કોમેડિયને ખુલાસો કર્યો કે તે ઘણીવાર ખોટા સમાચાર વાંચીને પરેશાન થઈ જાય છે અને દિવસમાં બે થી ત્રણ વાર તેના પરિવારને ફોન કરે છે.
ભારતીએ કહ્યું કે હું ડિપ્રેશનમાં આવી જાવ છું અને રડું છું... અને કઠોર ટિપ્પણીઓ મને અસર કરે છે. હું તેમને અવગણી શકતી નથી કારણ કે તમે બધા મારા પરિવારનો ભાગ છો... ફરી એકવાર, હું કહેવા માંગુ છું કે મને મારા દેશ અને મારી સરકારમાં વિશ્વાસ છે. મારો પરિવાર જ મને મુશ્કેલ સમયમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે, કારણ કે શો ચાલુ રહેવો જોઈએ. ભારતીએ તેના ચાહકોને કહ્યું ગભરાશો નહીં અને સરકાર દ્વારા મોકલવામાં આવેલી બધી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરીને વિડિયોનો અંત કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech