પોરબંદર અને વડોદરામાંથી ચોમાસાએ લીધી વિદાય

  • October 04, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધી રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ,જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાંથી નૈઋત્યનું ચોમાસુ તબક્કાવાર વિદાય લઈ રહ્યું હતું પરંતુ હવે ગુજરાતમાં પણ આ પ્રક્રિયા શ થઈ ગઈ છે. હવામાન ખાતાએ સત્તાવાર રીતે કરેલી જાહેરાત મુજબ નૈઋત્યના ચોમાસાએ પોરબંદર અને વડોદરામાંથી વિદાય લઈ લીધી છે. આગામી દિવસોમાં રાયના અન્ય ભાગમાંથી પણ ચોમાસુ તબક્કાવાર વિદાય લેશે.

મોનસુન વિડ્રોલ લાઈનમાં વડોદરા અને પોરબંદર ઉપરાંત દેશના અન્ય શહેરોમાં ગુલમર્ગ, ધર્મશાલા, મુકતેશ્વર, અશોકનગર , અને ઈન્દોરનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ચોમાસાની એકિઝટ અને ઉનાળાની એન્ટ્રી થઈ હોય તેવું વાતાવરણ જોવા મળે છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન કંડલામાં ૩૯ ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર્રમાં સૌથી ઐંચું તાપમાન સુરેન્દ્રનગરમાં ૩૭.૩ અને ત્યાર પછી રાજકોટમાં ૩૬.૯ ડીગ્રી નોંધાયું છે ભુજમાં ૩૭.૩ નલિયામાં ૩૩.૬ અમરેલીમાં ૩૫.૮ અને ભાવનગરમાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application