દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા ચમકદાર બને.વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ પડવી સામાન્ય વાત છે, પરંતુ લોકોની બદલાતી જીવનશૈલીને કારણે નાની ઉંમરમાં પણ ચહેરા પર કરચલીઓ પડવા લાગી છે. કરચલીઓના કારણે ચહેરો નિસ્તેજ દેખાય છે. કરચલીઓ માટે ઘણી સારવાર છે, આ માટે લોકો ઘણા પ્રકારની તબીબી સારવાર અને સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. મોટાભાગના સૌંદર્ય ઉત્પાદનોમાં રસાયણો હોય છે, જે ચહેરાને વધુ નુકસાન પહોંચાડે છે. પરંતુ ચહેરા પર કરચલીઓની સમસ્યા હોય તો આ ઘરગથ્થુ ઉપચારથી પણ તેનો ઈલાજ કરી શકાય છે
નાળિયેર તેલ
નારિયેળ તેલમાં હાજર વિટામિન ઇ અને ફેટી એસિડ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે, જે ત્વચાને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. કરચલીઓ દૂર કરવામાં નારિયેળ તેલ ઉતમ છે.
નારિયેળ તેલનો કેવી રીતે ઉપયોગ કરવો
સૌથી પહેલા વિટામિન E તેલના 2 થી 3 ટીપાં લો અને તેને એક ચમચી નારિયેળ તેલમાં મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર હળવા હાથે લગાવો અને મસાજ કરો. થોડીવાર મસાજ કર્યા બાદ તેને આખી રાત ચહેરા પર રહેવા દો. સવારે ઉઠ્યા બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો અને થોડા જ દિવસોમાં તમારો ચહેરો ચમકવા લાગશે.
મધ સાથે નાળિયેર તેલ
બીજો ઉપાય એ છે કે નારિયેળના તેલમાં મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી કરચલીઓથી છુટકારો મેળવી શકાય છે. મધ ત્વચાને કોમળ બનાવે છે અને ચહેરા પરથી કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. સૌથી પહેલા એક ચમચી નારિયેળ તેલ લો અને તેમાં મધના 1 કે 2 ટીપાં નાખો. તેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ઉઠ્યા બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. આ નિયમિત રીતે કરવાથી થોડા દિવસોમાં ચહેરો ચમકવા લાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech