જામનગર ના એક વકીલ પરમ દિવસે મોડી સાંજે પોતાના ઘરે હતા. અને કોઈ અસીલ નો ફોન આવતા પોતે ફી લેવા જાય છે તેમ કહીને નીકળ્યા હતા .પછી ગુમ થયા હતા.તેઓ આજે હેમખેમ ઘરે પરત ફર્યા છે. આ.બાબતે પરિવારજ નો દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પરમ.દિવસે સાંજે જામનગર નાં વકીલ પંકજભાઈ લહેરૂ પોતાના ઘરે હતા .ત્યારે કોઈ અકબરભાઈ નામના અસીલ નો ફોન આવ્યો હતો. અને ફી લઈ જવા જણાવેલ. જેથી પંકજભાઈ તેના ઘર ના સભ્યો ને જણાવી ઘર ની નીચે ફી લેવા માટે ગયા હતા. તેઓ પરત નહી ફરતા પોલીસ મા જાણ કરવામાં આવી હતી. બી જા દિવસે ઘરના સભ્યો ને પણ સવારે કોઈ અજાણ્યા નંબર પર થી ફોન આવ્યો હતો અને જણાવેલ કે પંકજભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ટ્રોમા વોર્ડ નંબર ૧૩ માં દાખલ છે. વિગેરે શંકાસ્પદ વાતો કરી હતી.
આ બાબતે જામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમા એ ફોન અમદાવાદનો જ હોય તેવું ટ્રેસ થયુ હતું પરંતુ તે ફોન બંધ આવતો હતો.
મળતી વિગત મુજબ પંકજભાઈના ઘરના સભ્યોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તપાસ કરાવી તો ત્યાં પંકજ નામની કોઈ વ્યક્તિ દાખલ નથી તેવું જાણવા મળેલ હતુ, જો કે તેઓ આજે ઘરે પરત ફર્યા છે. પરંતુ વશું કોઈ વિગતો પ્રકાશમા આવી નથી. પરંતુ એમ જાણવા મળે છે કે તેઓ નામ બદલાવીને અમદાવાદની હોસ્પિટલમા સારવાર માટે દાખલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech