શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા આજ વિસ્તારમાં રહેતા તેના દાગીના ઘરે જવાનું કઈં સાંજે ઘરેથી નીકળ્યા બાદ લાપતા બની હતી. જે અંગે સગીરાની માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વાંકાનેરના સિંધાવદરનો ભગાડી ગયાની શંકા દર્શાવી હતી. આ અંગે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરા વિસ્તારમાં રહેતા મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મૂળ વઢવાણના વતની છે તેમને સંતાનમાં ચાર પુત્રી તથા બે પુત્ર છે. પતિ–પત્ની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત તારીખ ૩૦૧૨ ના સાંજના સાડા પાંચેક વાગ્યે તે તથા તેમના પતિ મજૂરીકામ કરી ઘરે આવતા તેમની ૧૬ વર્ષની દીકરી અગાસી પર પતગં ચગાવતી હતી.બાદમાં સાંજના છેક વાગ્યે ફરિયાદી તેમના પુત્રને નહવડાવતા હતા ત્યારે દીકરીએ કહ્યું હતું કે હત્પં દાદીના ઘરે આટો મારવા જાવ છું. ત્યારબાદ મહિલા તેમના પુત્રના કપડા માટે કબાટ ખોલતા દીકરીના કપડાં જોવા મળ્યા ન હતા અને દીકરી લાંબો સમય થયે દાદીના ઘરેથી પરત ન આવી હોય જેથી તુરતં તેમણે તેમના સાસુના ઘરે તપાસ કરતા માલુમ પડું હતું કે દીકરી અહીં આવી જ નથી. ત્યારબાદ સગા સંબંધીને ત્યાં તપાસ કરી હતી પરંતુ તેમ છતાં દીકરી નો કોઈ પતો ન લાગ્યો ન હતો.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, વાંકાનેરના સિંધાવદરમાં રહેતો રતિલાલ ઉર્ફ રત્યો સીતાપરા(ઉ.વ ૧૮) છેલ્લા થોડા સમયથી તેમની દીકરીના સંપર્કમાં હોય જેથી તે દીકરીને ભગાડી ગયો હોવાની શંકા સાથે તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech