જામનગર તા.૧૨ માર્ચ, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત (નેહરૂ યુવા કેન્દ્ર) દ્વારા તા.૦૭ માર્ચથી તા.૧૧ માર્ચ ૨૦૨૫ સુધી અમદાવાદ અને જામનગર જિલ્લા વચ્ચે આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદથી ૨૭ યુવા સ્વયંસેવકો પાંચ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા જામનગર પહોચ્યાં હતા.
કાર્યક્રમ અંતર્ગત જામનગર NCC ના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી.શશી, NDCના સંસ્થાપક અને પ્રેરણાદાયક વક્તા જયેશ વાઘેલા, હરીશભાઈ ખીમસૂરિયા અને મહિપતસિંહ જાડેજાએ યુવાનોને ભારતિય સેનામાં જોડાવા અંગે પ્રેરણા આપી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા યુવાનોના યોગદાન વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
આ સાથે યુવાઓએ રણમલ તળાવ અને સંગ્રહાલય, આરાધના ધામ, નરારા મરીન નેશલ પાર્ક, સ્વામીનારાયણ મંદિર, ખીજડીયા પક્ષી અભ્યારણ, દરેડ બ્રાસ ઉદ્યોગ વગેરેની મુલાકાત લઈ જામનગર જિલ્લા અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMખાખરીયામાં દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક
May 13, 2025 04:04 PMપાકિસ્તાન તરફી થયેલા ડ્રોન હુમલામાં ભાવનગરના સેના જવાન ઈજાગ્રસ્ત
May 13, 2025 04:02 PMભાવનગર-પાલીતાણા ગાડી નીચે આવી જતાં યુવાનનું મોત
May 13, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech