મેમાણાના ખેડૂતનો પોતાની વાડીમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • June 10, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાની જૂની દારૂ પીવાની આદત અંગે પરિવારજનો ઠપકો આપતા હોવાથી સહન નહીં થતાં આપઘાતનું પગલું ભર્યું


જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મેમાણા ગામના એક ખેડૂત યુવાને પોતાની વાડીમાં ઝાડની ડાળીમાં રસ્સો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાની જૂની દારૂ પીવાની ટેવ બાબતે પત્ની તથા પરિવારજનો ઠપકો આપતા હોવાથી સહન નહીં થતાં આ પગલું ભરિલીધાનું પોલીસમાં જાહેર થયું છે.


આ બનાવની વિગત એવી છે કે લાલપુર નજીક મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રઘુવીરસિંહ નટુભા જાડેજા નામના ૪૬ વર્ષના ખેડૂત યુવાને ગઈકાલે પોતાની વાડીમાં ઝાડની ડાળીમાં રસ્સો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હરદેવસિંહ નટુભાઈ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ખેડૂતને ક્યારેક ક્યારેક દારૂ પીવાની ટેવ હતી. જે ટેવને કારણે તેના પત્ની અને પરિવારના સભ્યો આ ટેવને મુકવા બાબતે બોલા ચાલી કરતા હતા. તેથી તેને મનમાં લાગી આવતાં છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા, અને આપઘાત નું પગલું ભરી લીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application