પોતાની જૂની દારૂ પીવાની આદત અંગે પરિવારજનો ઠપકો આપતા હોવાથી સહન નહીં થતાં આપઘાતનું પગલું ભર્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મેમાણા ગામના એક ખેડૂત યુવાને પોતાની વાડીમાં ઝાડની ડાળીમાં રસ્સો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાની જૂની દારૂ પીવાની ટેવ બાબતે પત્ની તથા પરિવારજનો ઠપકો આપતા હોવાથી સહન નહીં થતાં આ પગલું ભરિલીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર નજીક મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રઘુવીરસિંહ નટુભા જાડેજા નામના ૪૬ વર્ષના ખેડૂત યુવાને ગઈકાલે પોતાની વાડીમાં ઝાડની ડાળીમાં રસ્સો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હરદેવસિંહ નટુભાઈ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ખેડૂતને ક્યારેક ક્યારેક દારૂ પીવાની ટેવ હતી. જે ટેવને કારણે તેના પત્ની અને પરિવારના સભ્યો આ ટેવને મુકવા બાબતે બોલા ચાલી કરતા હતા. તેથી તેને મનમાં લાગી આવતાં છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા, અને આપઘાત નું પગલું ભરી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech