જામજોધપુરનું મેલાણ ગામ બન્યું સંપર્ક વિહોણું

  • August 30, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર તાલુકામાં છેલ્લ ા છ સાત દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને નુકસાન થયું છે ત્યારે જામજોધપુરથી સાત કિલોમીટરના અંતરે આવેલા મેલાણ ગામના લોકોને ઇમરજન્સી સમયે ગામ બહાર જવા આવવા માટે ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેણું નદી ઉપર આવેલ જામજોધપુર નગરપાલિકાના કુવા પાસેના મોટા ચેકડેમનો પારો તૂટી જવાથી સીમ વિસ્તારનો રસ્તો પણ બધં થયો છે અને આ ચેકડેમ ખેડૂતની વાડી પાસે હોય જેથી આ ખેડૂત ખાતેદારને ચેકડેમનો પાળો તૂટવાથી મોટું નુકસાન થવા પામ્યું છે અને જો આ ચેકડેમ વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો ચેકડેમનું બધું જ પાણી વહી જવાથી અસંખ્ય ખેડૂતોને આવતા સમયમાં પાણીની કટોકટી સર્જાઇ શકે છે અને હાલમાં આ ચેકડેમના પ્રવાહથી ગામના લોકોને પોતાના ખેતર વાડીમાં જવા માટેના એકમાત્ર રસ્તાનું ઘોવાણ થયેલ છે તો હાલની પરિસ્થિતિ થાળે પડતાં વહેલી તકે આ ચેકડેમ રીપેર કરવા રાષ્ટ્ર્રીય માનવાધિકાર સુરક્ષા સમિતિ જામનગર જિલ્લ ા સચિવ દ્રારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application