હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જતી 70 જેટલી બસ રદ્દ કરી દેવામાં આવી છે. જેના કારણે હજારથી વધુ મુસાફરો અટવાયા છે. આ મુસાફરોએ તહેવારની સમયે બસો રદ્દ થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આ દરમ્યાન સુરત એસટી બસ વિભાગ નિયામક પી. વી. ગુર્જરએ કહ્યું કે, ભારે વરસાદના કારણે ઘણી બસ સેવાને અસર થઈ છે. 52 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. 19 રૂટ અફેક્ટેડ થયા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રોડ વધારે અસરગ્રસ્ત થયા છે. જેથી ત્યાંની બસ સેવાને વધારે અસર થઈ છે.
વડોદરા બાયપાસ સેવા યથાવત
વડોદરા સિટીમાં પાણી આવી જવાથી બાયપાસ અમદાવાદ રૂટ શરૂ છે. બસનું સંચાલન હાલ બંધ થયું છે. જેથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ જેમ પાણી ઉતરતા જશે તેમ તેમ ફરીથી બસનું સંચાલન પૂર્વવત કરી દેવામાં આવશે. હાલ સાવચેતીને ધ્યાનમાં રાખીને મુસાફરી અટકાવી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech