રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મોરેશિયસ સરકાર હિન્દુઓને આપશે 2 કલાકનો બ્રેક

  • January 13, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથે સનાતન ધર્મ મંદિર ફેડરેશનની અરજી સ્વીકારી ; તમામ સરકારી કર્મચારીઓને મળશે વિશેશ રજા 


અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, ભારતના મિત્ર દેશ મોરેશિયસે જાહેરાત કરી છે કે ૨૨ જાન્યુઆરીએ ભારતીયો માટે બે કલાકનો વિરામ રહેશે. મોરેશિયસ સરકારે જાહેરાત કરી હતી કે હિંદુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને આ બ્રેક આપવામાં આવશે. હિન્દુ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ આ માટે સરકારને વિનંતી કરી હતી.
​​​​​​​

તાજેતરમાં મોરેશિયસ સનાતન ધર્મ મંદિર ફેડરેશને દેશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથને પત્ર લખ્યો હતો. ફેડરેશને પત્રમાં લખ્યું હતું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આવી સ્થિતિમાં, ૨૨ જાન્યુઆરીએ સમારોહનું પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવા માટે બે કલાકનો વિરામ આપવો જોઈએ. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કેબિનેટ ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને કારણે હિંદુ જાહેર અધિકારીઓને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બે કલાકની વિશેષ રજા આપવા માટે સંમત થયા છે." આ સંદર્ભમાં, આ એક ઐતિહાસિક ઘટના છે.

રામ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિના અભિષેક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા લોકો ભાગ લેશે, જેમાં મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ હાજર રહેશે. વિવિધ ક્ષેત્રની મોટી હસ્તીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઉપરાંત હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ ગણતા શંકરાચારર્યોએ પણ ધાર્મિક કારણો આપી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહી આપવાનો નિર્ણય લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application