BREAKING NEWS

આજીડેમ નજીક સુંદરમ પાર્કમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

  • October 16, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે મુળ બિહારની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે.

શહેરમાં સુંદરમ્‌ પાર્ક શેરી નં.૨ બ્‍લોક નં.બી-૯માં અંજુકુમારી ગોપાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ ગઈકાલે ઘરની બારીની ગ્રીલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવની જાણ 108ને કરવામાં આવી હતી. ઇએમટીએ સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.


આપઘાત કરનાર અંજુકુમારીના લગ્ન થયાને એક વર્ષ જેટલો સમય થયો હતો અને પતિ ગોપાલ વિશ્વકર્મા કારખાનામાં મજૂરી કામ કરે છે. તેણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application