સલાયામાં માધવરાય ભગવાનના પાટોત્સવ નિમિતે આંબા ઉત્સવ

  • June 04, 2025 11:45 AM 

ખંભાળિયા તાલુકાના સલાયામાં ગ્રામ દેવતા શ્રી માધવરાયજી ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ ભીમ અગિયારસના પાવન પર્વે શુક્રવાર તા. 6 ના રોજ યોજવામાં આવ્યો છે.

પ્રથમ વખત યોજાયેલા આ પાટોત્સવ નિમિતે મૂળ સલાયાના વતની અને હાલ ખંભાળિયા રહેતા રઘુવંશી સદગૃહસ્થ સ્વ. મધુબેન રસિકભાઈ કેશવજીભાઈ તન્નાની સ્મૃતિમાં આંબા ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ આંબા ઉત્સવના દર્શન સાંજે 5 થી 7:30 વાગ્યા સુધી થશે. જેનો લાભ લેવા મંદિરના મુખ્યજી શ્યામભાઈ દવે દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે. આ આંબા ઉત્સવની તૈયારીઓ માટે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા તેમજ તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application