ગુજરાત સરકારના તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની કર્મયોગી નામની સરકારી એપ્લિકેશન ઉપર નોંધણી કરવાની જાહેરાત કરી છે. આવી નોધણી નહી કરાવનાર કર્મચારીઓનો પગાર અટકાવવામા આવશે.કર્મયોગી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના તમામ વિભાગમાં ફરજ બજાવતા તમામ પ્રકરણ હોદ્દાના અધિકારીઓ અને કર્મચારીઓની એક સેન્ટ્રલાઈડ ડિજીટલ જાણકારી ઉપલબ્ધ થઈ રહેશે
છેલ્લ ા બે દિવસથી આપ ના નેતા ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ પોલીસમાં તેમના પ્રમોશનને લઈને ટિટ કયુ હતુ જેને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યેા હતો કે, તેમને રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું છે. આ સાથે તેમને હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા જોકે ગોપાલ ઈટાલિયાના આ ટિટ પર અમદાવાદ પોલીસે ખુલાસો પણ કર્યેા હતો.
મળતી માહિતી અનુસાર ગોપાલ ઈટાલીયાએ સરકાર સામે ઉઠાવેલ ગંભીર મુદ્દાનો ગુજરાત સરકારમાં પડઘો પડો.જે બાદ ગોપાલ ઈટાલીયાના હેડ કોન્સ્ટેબલ પ્રમોશનની ઘટના બાદ ગુજરાત સરકારે આખરે મોટો નિર્ણય લેવો પડો છે.સુરતથી પ્રેસ કોન્ફરન્સ કરીને ગોપાલ ઈટાલિયાએ કર્મચારીઓના ડિજિટલ ડેટા હોવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. જેથી અચાનક ઐંઘમાંથી જાગેલી ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને ગુજરાતના તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની કર્મયોગી નામની સરકારી એપ્લિકેશન ઉપર નોંધણી કરવાની જાહેરાત કરી છે. કર્મયોગી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના તમામ વિભાગમાં ફરજ બજાવતા તમામ પ્રકરણ હોદ્દાના અધિકારીઓ અને કર્મચારીઓની એક સેન્ટ્રલાઈડ ડિજીટલ જાણકારી ઉપલબ્ધ થઈ રહેશે અને ભવિષ્યમાં ભૂતિયા કે નકલી કર્મચારીઓની સમસ્યા રોકી શકાય. આમ, ગોપાલ ઈટાલીયાને મળેલા હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશનના કારણે ભાજપ સરકારે ખૂબ મોડે મોડે પણ જ્ઞાન લાધયુ છે.
જે કર્મચારીઓ કર્મયોગી એપ્લિકેશનમાં નોંધણી નહીં કરી હોય તેનો પગાર રોકવામાં આવશે, આ અંગે ગંભીરતા પૂર્વક નોંધ લેવી, તેમજ સબંધિત કચેરીના વડા દ્રારા જે તે મહિનાના પગારબિલ સાથે તેઓની કચેરીના તમામ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્મયોગી એપ્લીકેશનમાં થઈ ગયા તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
ઉલ્લ ેખનીય છે કે ગોપાલ ઈટાલીયાએ માંગણી કરી હતી કે ગુજરાતના તમામ કર્મચારીઓની ડિજિટલ સ્વપમાં સેન્ટ્રલાઈડ
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech