પોરબંદરમાં તસ્કરો ડાઘુઓને પણ છોડતા નથી તેની સાબિતી પોલીસ ચોપડેથી મળી છે જેમાં એક આધેડ તેના ફઇની દીકરીની અંતિમ વિધિ માટે સ્મશાન બહાર પોતાનુ બાઇક પાર્ક કરીને ગયા હતા અને અંતિમવિધિ પૂર્ણ કરી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં તો એ બાઇક ચોરાઇ ગયુ હતુ અને પોલીસે આ બનાવના પગલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડયો છે.
પોરબંદરના વસુંધરા કોમ્પલેકસમાં આવેલા કદમ બિલ્ડીંગમાં રહેતા અને બંગડીબજારમાં બંગડીનો વેપાર કરતા અનીલ ભગવાનજીભાઇ ઠકરાર નામના ૫૩ વર્ષના વેપારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના ફઇની દીકરીનું અવસાન થતા તા. ૧૩-૪ના તેઓ પોતાનું ૩૦ હજાર પિયાનું બાઇક લઇને અંતિમયાત્રામાં ગયા હતા અને હિન્દુ સ્મશાનભૂમિ સામે ઇન્દ્રેશ્ર્વર મંદિર પાસે બાઇક પાર્ક કરીને અંતિમવિધિમાં જોડાયા હતા અને એક કલાક પછી સ્મશાનમાંથી વિધિપૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેનું બાઇક ચોરાઇ ગયુ હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી કીર્તિમંદિર પોલીસમથક ખાતે જઇને અજાણ્યા બાઇકચોર સામે ગુન્હો નોંધાવ્યો હતો. કીર્તિમંદિર પોલીસ દ્વારા તાત્કાલિક આ બનાવને ગંભીરતાથી લઇને આરોપીની શોધખોળ હાથ ધરતા છાયાના જમાતખાના પાસે રહેતા અશોકસિંહ રણુભા ચુડાસમા નામના શખ્શને ચોરેલા બાઇક સાથે પકડી પાડયો હતો અને પોલીસે તેની આકરી પૂછપરછ હાથ ધરીને ચોરીના અન્ય કોઇ બનાવ સાથે સંડોવાયો છે કે કેમ? તેની પૂછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMપોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 9 લાખના રોકાણ પર મળશે 16,650 રૂપિયા
April 16, 2025 07:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech