ખેતરની જમીન અવરોધરુપ પાળો હટાવવા મામલતદારનો આદેશ

  • November 01, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરસીમ વિસ્તારમાં ખેતીની જમીનમાં અરજી કર્યા બાદ મામલતદારનો હુકમ

શહેરના નગરસીમ વિસ્તારમાં ખેતરની એક જમીનમાંથી વરસાદી પાણીનો નિકાલ આડે પડોશમાં પાળો બનાવીને આડશ ઉભી કરવા અંગે મામલતદાર સમક્ષ આ પાળો દુર કરવા એક ખેડુત દ્વારા અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં મામલતદારે આ કેસમાં અવરોધરુપ પાળો દુર કરવા આદેશ કર્યો છે.
જાણવા મળતી વિગત પ્રમાણે શૈલેષ મુંજપરા નામના ખેડુતની જમીનમાં પશ્ર્વિમ ભાગમાંથી કુદરતી પાણીનો નિકાલ પેેઢીઓથી થતો આવ્યો છે અને આ નિકાલ આડે જમીન ધારકો પ્રેમજીભાઇ પરમાર, મોહનભાઇ કટેશીયા દ્વારા પાળો બનાવીને નિકાલનો માર્ગ બંધ કરી દેતા મામલતદાર સમક્ષ અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ મામલતદાર સમક્ષ કેસ ચાલી જતાં અરજદાર ખેડુતે દસ્તાવેજી પુરાવા પણ આપ્યા હતાં અને મામલતદારે હુકમ કરીને જમીન માપણી કરીને તાત્કાલીક અરસથી વિવાદાસ્પદ પાળો દુર કરવા અને નિશાન કરવા પણ હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application