90ના દાયકાની એક્ટ્રેસ મમતા કુલકર્ણી રાતો રાત ફેમસ થઇ હતી

  • February 07, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પ્રસિદ્ધિ માટે ટોપલેસ થઇ બોલીવૂડમાં ચમકી અને ગાયબ થઇ ગઇ
  • મની લોન્ડરિંગમાં નામ આવતા બહાર આવીને કહ્યું- હું આધ્યાત્મિક બની ગઇ



આજકાલ મની લોન્ડરિંગ કેસમાં શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિઝ અને કેનેડિયન ડાન્સર નોરા ફતેહીનું નામ ચમકી રહ્યું છે. ત્યારે અગાઉ પણ એક એક્ટ્રેસનું નામ મની લોન્ડરિંગ મામલે ચર્ચાસ્પદ થયું હતું. તે બીજી કોઇ નહીં પણ કરણ અર્જુન સહિત ઘણી ફિલ્મોમાં ચમકેલી ખુબસુરત અભિનેત્રી મમતા કુલકરણી હતી.

90ના દાયકાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીનું  જીવન કરુણાંતિકાઓથી ભરેલું રહ્યું. 1992માં આવેલી ફિલ્મ 'તિરંગા'થી પોતાના અભિનયની શરૂઆત કરનાર મમતા કુલકર્ણી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી, ત્યારબાદ 1993માં તેણે એક લીડિંગ મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું, જે મેગેઝીનના કવર પેજ પર પણ ચમક્યું હતું અને આ ફોટોશૂટે તેને વધુ લોકપ્રિય બનાવી દીધી હતી. 

મમતાને ત્યાર પછી વધુને વધુ ફિલ્મો મળવા લાગી હતી. તેણે બાગી (આમિર ખાન સાથે), ચાઈના ગેટ, કરણ અર્જુન, વક્ત હમારા હૈ અને ક્રાંતિવીર જેવી ફિલ્મો સાથે મોટા પડદા પર ધમાલ મચાવી હતી, જો કે તેણે ફિલ્મ 'કભી તુમ કભી હમ' રિલીઝ થયા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.. દુબઈમાં વિકી ગોસ્વામી સાથે  ગુમનામ જિંદગી જીવવા માટે તે જતી રહી હતી.  મમતા છેલ્લા 21 વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે કેન્યામાં  રહે છે. મમતાએ ભારતીય મૂળના બિઝનેસમેન ઉરુ પટેલ સાથે ત્યાં પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી છે.

વિક્રમ ઉર્ફે વિકી વિરૂદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ ડીલિંગના કેસ થયા હતા અને 2016માં કેન્યામાં કપલની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પછી, મમતા કુલકર્ણી 16 વર્ષમાં પ્રથમ વખત જાહેરમાં  દેખાઈ હતી. બાદમાં તેણે દાવો કર્યો હતો કે તે એક આધ્યાત્મિક વ્યક્તિ છે જેણે તેની જીવનની બધી ઇચ્છાઓને મારી નાખી છે.

એક ન્યૂઝ પોર્ટલે મમતાની વાતચીત પ્રકાશિત કરી હતી, જેમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે 2010 માં જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ત્યારથી તે આધ્યાત્મિકતામાં ડૂબી ગઈ હતી. તેણે આગળ કહ્યું હતું કે...

 મેં હજુ સુધી વિકી સાથે લગ્ન કર્યા નથી અને જ્યારે તમે 12 વર્ષ સુધી એકાંતમાં તપશ્ચર્યા કરો છો, ત્યારે તમને તે ગમતું નથી, પછી ભલે કોઈ પુરુષ તમને સ્પર્શે. શું તમે જાણો છો કે તમે અંદરથી કેટલા શુદ્ધ બનો છો? તમે ઈચ્છતા પણ નથી કે કોઈ પુરુષ તમને સ્પર્શે. 

મમતાએ એમ પણ કહ્યું હતું કે...

 'હું વિકી સાથે શારીરિક સંબંધમાં નથી, અમે ફક્ત એકબીજા સાથે સારા સંબંધમાં છીએ. જ્યાં સુધી ડ્રગ્સની વાત છે, હું ડ્રગ્સને નફરત કરું છું. જો મેં મારામાં રહેલી તમામ ખામીઓનો નાશ કર્યો હોય, તો શું નશો મને જીવનમાં કંઈક ખોટું કરવા તરફ દોરી જશે? 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application