ઝાંસીની આગની ઘટના પર 'અકસ્માતની તપાસ, દોષિતો સામે પગલાં લેવાની મલ્લિકાર્જુન ખડગેએ કરી માગ
ઝાંસીની મેડિકલ કોલેજમાં ગતરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં NICU વોર્ડમાં લાગેલી આગને કારણે 10 બાળકોના મોત થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી.
કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ હૃદયદ્રાવક અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ બાળકોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમણે વધુમાં કહ્યું કે, અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ અકસ્માતના કારણોની તપાસ થવી જોઈએ અને આવી બેદરકારી માટે દોષિત હોય તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જ્યાં નવજાત શિશુઓના રૂમમાં આગ લાગવાથી દસ બાળકોના મોત થયા છે. આ મહાન આફતના સમયે શોક અને આશ્વાસનના શબ્દો નકામા છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં અમે પરિવાર અને માતા-પિતા સાથે ઊભા છીએ.
37 બાળકોને બચાવી લેવાયા
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં ગતરાત્રે 10:30 થી 10:45ની વચ્ચે NICUમાં આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર રાત્રે અચાનક ધુમાડો નીકળ્યો હતો. કોઇ કંઇ સમજે તે પહેલા આગ આખા વોર્ડમાં ફેલાઇ ગઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં 47 બાળકો દાખલ હતા. જેમાંથી 10ના મોત થયા છે. જ્યારે 37નો બચાવ થયો હતો. બચાવી લેવામાં આવેલા બાળકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech