માલદીવે 43 ભારતીયો સહિત 186 વિદેશીઓને કર્યા દેશનિકાલ, ગેરકાયદે ધંધો કરવાનો આરોપ

  • February 14, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલદીવ્સ (ભારત-માલદીવ્સ રો) એ 43 ભારતીયો સહિત 186 વિદેશીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમના પર વિઝા ઉલ્લંઘન અને ડ્રગ-સંબંધિત ગુનાઓનો આરોપ પણ મુકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેશનિકાલ કરાયેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા બાંગ્લાદેશી (83) છે.


માલદીવે 43 ભારતીયો સહિત 186 વિદેશીઓને દેશનિકાલ કર્યા છે. ગૃહ પ્રધાન અલી ઇહુસને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મંત્રાલય વિવિધ નામોથી ચાલતા ગેરકાયદેસર વ્યવસાયો પર કાર્યવાહી કરવા માટે નાણા મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યું છે. ગૃહ મંત્રાલય આ પ્રકારના વ્યવસાયોને બંધ કરવા અને જે વિદેશીઓને ચલાવે છે તેમને દેશનિકાલ કરવા પર કામ કરી રહ્યું છે.


માલદીવમાં ગેરકાયદેસર રીતે ચાલતા વ્યવસાયોને બંધ કરવાના ચાલુ પ્રયાસો વચ્ચે વિદેશીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. ગૃહ પ્રધાન અલી ઇહુસને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મંત્રાલય વિવિધ નામોથી ચાલતા ગેરકાયદેસર વ્યવસાયો પર કાર્યવાહી કરવા માટે નાણા મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યું છે.


ગૃહ મંત્રાલય કરી રહ્યું છે તપાસ 

ગૃહ મંત્રાલય આ પ્રકારના વ્યવસાયોને બંધ કરવા અને જે વિદેશીઓને ચલાવે છે તેમને દેશનિકાલ કરવા પર કામ કરી રહ્યું છે. જો રજિસ્ટ્રાર પૂરતા પુરાવાના આધારે માને છે કે, નફો કમાવવા માટે કોઈ વિદેશી દ્વારા પ્રત્યક્ષ કે આડકતરી રીતે વ્યવસાય ચલાવવામાં આવે છે, તો આવા વ્યવસાયોની નોંધણીને સમાપ્ત કરવા માટે ડિસેમ્બર 2021 માં કાયદો ઘડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application