લોકોમાં વાળ ખરવાની સમસ્યા વધી રહી છે વાળ ખરતા અટકાવવા લોકો બજારમાં વેચાતા અનેક પ્રકારના તેલ ખરીદે છે. પરંતુ બજારમાં મળતા તેલમાં સુગંધ અને રસાયણો હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. તેથી બજારમાં વેચતા તેલને બદલે ઘરે જ તેલ બનાવીને વાળમાં લગાવી શકાય છે. ઘરે તેલ બનાવવા માટે કરી પત્તા અને નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો આ તેલ કેવી રીતે તૈયાર કરવું.
ઘરે તેલ બનાવવા માટે કરી પત્તા અને નારીયેળ તેલ નો ઉપયોગ થાય છે.કરીના પાંદડામાં એન્ટી-ઓક્સિડેન્ટ, બીટા કેરોટીન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાંદડાઓમાં એમિનો એસિડ પણ હોય છે જે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. જો કરી પત્તાને નારિયેળના તેલમાં નાખી માથા પર લગાવવામાં આવે તો તે પાતળા વાળની સમસ્યાને દૂર કરી શકાય છે.
નાળિયેર તેલમાં લોરિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. લૌરિક એસિડ એક પ્રકારનું સંતૃપ્ત ચરબી છે જે વાળને પ્રોટીનના નુકશાનથી બચાવે છે. તેનાથી વાળની મજબૂતાઈ જળવાઈ રહે છે. નાળિયેરનું તેલ માથા ઉપરની ચામડીને પૂરતો ભેજ પ્રદાન કરે છે,જે ડેન્ડ્રફની સમસ્ય ઘટાડે છે. આ તેલ વાળ ખરતા અટકાવવા, વાળના વિકાસ અને વાળને લંબા કરવામાં મદદ કરે છે.
એક બાઉલમાં નાળિયેર તેલ લો અને તેને ઉકાળો . આ તેલમાં મુઠ્ઠીભર કરી પત્તા ઉમેરો. આ તૈયાર તેલને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને એકથી દોઢ કલાક સુધી રાખ્યા બાદ વાળ ધોઈ લો. જો તમારા વાળ વધુ પડતા શુષ્ક હોય તો આ તેલને આખી રાત પણ વાળમાં રાખી શકાય છે.
તેલની અસર વધારવા માટે નારિયેળના તેલમાં કરીના પત્તાની સાથે મેથીના દાણા પણ ઉમેરી શકાય છે. મેથી અને કરીના પત્તાનું તેલ વાળને લાંબા, જાડા બનાવે છે અને ખરતા ઘટાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech