નવરાત્રિ દરમિયાન ફરાળ માટે બનાવો આ વાનગી, આખો દિવસ રહેશો એનર્જીથી ભરપૂર

  • October 04, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શારદીય નવરાત્રિ 2024 શરૂ થઈ ગઈ છે. 3જી ઓક્ટોબરથી 11મી ઓક્ટોબર સુધી નવરાત્રીનો તહેવાર ઉજવાશે. જેમાં માતાજીના ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. કેટલાક લોકો ફળ ખાય છે, તો કેટલાક લોકો ફરાળ કરે છે. જો નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખો છો, તો દિવસભર ઉર્જાવાન રહેવા કેટલીક ઉપવાસમાં કામ આવે એવી વાનગીઓ અજમાવી શકો છો.


નવરાત્રિ દરમિયાન બનાવો આ ઉપવાસની વાનગીઓ


સિંઘોડાના લોટનો હલવો


સામગ્રી:


 સિંઘોડાનો લોટ - 1 કપ

 ઘી - 1/2 કપ

 પાણી - અડધો કપ

 ખાંડ - અડધો કપ

 ડ્રાયફ્રુટ્સ - 1/4 કપ


પદ્ધતિ:


તેને બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. હવે તેમાં લોટ ઉમેરીને હળવો શેકો. પછી તેમાં જરૂર મુજબ પાણી અને ખાંડ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. જેથી લમ્પસ ન બને. પાણી સુકાઈ જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને ખાઓ.


આલુ ટિક્કી


સામગ્રી:


 બટેટા - 2-3 બાફેલા

 લીલા મરચા - 1-2

 શીંગદાણાનો ભુક્કો - 1 કપ

 મીઠું - સ્વાદ મુજબ

 લીલા ધાણા - ગાર્નિશ માટે


પદ્ધતિ:


સૌ પ્રથમ એક વાસણમાં બટેટાને મેશ કરી લો. હવે તેમાં લીલું મરચું, લીલા ધાણા અને મીઠું ઉમેરો. હવે તેને ટિક્કીનો આકાર આપો. તેને શીંગદાણાનો ભુક્કામાં રગદોળો અને તેને ફ્રાય કરો અથવા તેને તવા પર બેક કરો.


સાબુદાણાની ખીચડી


સામગ્રી:


 સાબુદાણા - 2 કપ

 બટેટા - 1

 મગફળી - અડધો કપ (પીસેલી)

 લીલા મરચા - 1-2

 મીઠું - સ્વાદ મુજબ

 તેલ - જરૂર મુજબ


પદ્ધતિ:


સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેલમાં બટેટા અને લીલા મરચાં ઉમેરો. બટેટા બફાઈ જાય એટલે તેમાં સાબુદાણા અને મીઠું નાખો. હવે ઉપર મગફળીનો ભૂકો નાખો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application