કૃષ્ણ જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને ધરાવવા માટે ઘરે જ બનાવો મથુરાના પેંડા

  • August 21, 2024 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં કાન્હાના ભક્તો 26 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી 2024 ઉજવવા જઈ રહ્યા છે. હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જે જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. આ દિવસે કાન્હાને ચઢાવવા માટે ઘણી વસ્તુઓનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. જો ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા હોય તો કૃષ્ણ જન્માષ્ટમી 2024 પર તેમના માટે બનાવો મથુરાના પેંડા. કાન્હાના ભક્તો મથુરાના પેંડા ના સ્વાદથી વાકેફ હશે જ. મથુરાના પેંડા ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પણ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે. જાણો તેને બનાવવાની રીત:

મથુરાના પેંડા બનાવવા માટેની સામગ્રી-

  • ખોયા - 500 ગ્રામ
  • દળેલી ખાંડ - 500 ગ્રામ
  • ઘી - 2-3 મોટા ચમચા
  • દૂધ - અડધો કપ
  • નાની એલચી - 8-10 ખાંડેલી

મથુરા પેડા બનાવવાની રીત-


મથુરાના પેંડા બનાવવા માટે સૌપ્રથમ માવાને એક પેનમાં શેકી લો. માવાને શેકતી વખતે ખાસ ધ્યાન રાખો કે માવાને શેકતી વખતે વચ્ચે થોડું ઘી અથવા દૂધ ઉમેરતા રહો. માવાને તેનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. આ પછી શેકેલા માવાને પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે રાખો. માવો ઠંડો થાય એટલે તેમાં 2 કપ દળેલી ખાંડ અને પીસેલી ઈલાયચી ઉમેરો. હવે પેંડા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. હવે બાકીની દળેલી ખાંડને એક પ્લેટમાં બાજુ પર રાખો. તૈયાર કરેલા પેંડાને દળેલી ખાંડમાં ગોળ ગોળ વાળી લો. ટેસ્ટી મથુરા પેંડા કાન્હાને ધરાવવા માટે તૈયાર છે. આ પેંડાને પંખાની હવામાં 2-3 કલાક માટે ખુલ્લા રહેવા દો પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application