હાઇટેક આયોજન : કરિયાવરમાં દીકરીઓને 111 વસ્તુઓ આપવામાં આવશે: 27 વસ્તુઓ સોના-ચાંદીની : સમુહલગ્ન સાથે તુલસી વિવાહ અને દીકરીઓનું લક્ષ્મી પૂજન
સ્માર્ટ સુખડીયા સમુહલગ્ન સમિતિ દ્વારા શ્રી દ્વારકાધીશ ના અધ્યક્ષ સ્થાને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી દશાશ્રીમાળી જૈન સુખડીયા સમાજ ના જાજરમાન સમુહલગ્ન એટલે કે લાડકડી ના લગ્નોત્સવ - 2024 નું આયોજન તુલસીવિવાહ ના પાવન દિવસે કરવામાં આવ્યું છે. આ જાજરમાન સમુહલગ્ન ના સ્વપ્નદ્રષ્ટા અને જૈન અગ્રણી નિતીનભાઈ માંડલિયા - ધ્રોલ વાળા અને એમની ટીમ દ્વારા સમાજની નહિ પણ પોતાની દીકરીઓને વળાવતા હોય એવા ઠાઠ માઠ થી તા.13 બુધવારે ધ્રોલ મુકામે 9 દીકરીઓ ના જાજરમાન સમૂહલગ્ન રાખવામાં આવ્યા છે.
આ સમુહલગ્ન માં દીકરીઓને 111 વસ્તુનો જાજરમાન કરિયાવર આપવામાં આવશે જેમાં 27 વસ્તુઓ સોના-યાંદી ની છે. સમુહલગ્ન નું આયોજન આયોજકો દ્વારા પોતાના સ્વદ્રવ્ય થી કરવામાં આવે છે. તેમજ સમુહલગ્ન સાથે તુલસી વિવાહ અને દીકરીઓ નું લક્ષ્મી પૂજન પણ રાખવામાં આવેલ છે.
આ ભવ્ય આયોજન ને સફળ બનાવવા જાજરમાન સમુહલગ્ન ના સ્વપ્નદ્રષ્ટા નિતીનભાઈ માંડલિયા - ધ્રોલવાળા તથા રસિકભાઈ પાનસુરીયા, હસમુખભાઈ ધંધુકિયા-રાજકોટ વાળા, વિરાભાઈ વસાણીયા ધોરાજી, વિજયભાઈ માંડલિયા - નંદુરબાર વાળા, કિશોરભાઈ પંચાસરા - વધર્િ વાળા, હસમુખભાઈ શેઠ થાનગઢ વાળા, દીપકભાઈ ઝીઝુંવાડિયા - સાવનેર વાળા, કમલેસભાઈ ચૌહાણ - પવની, ઉમેશભાઈ હળવદિયા - જામનગર, આનંદભાઈ માંડલિયા - મોરબી વાળા, દિનેશભાઈ ધંધુકિયા - જોડિયા, દિનેશભાઈ હળવદિયા - હળવદ વાળા, જીન્દતભાઈ હળવદિયા - હળવદ, મેહુલભાઈ સુખડીયા - સાણંદ, રોબનભાઈ કંદોઈ, કમલભાઈ ખિલોસીયા - ભુજ વાળા, રાજેશભાઈ ખિલોસીયા-મુંબઈ, અમિતભાઈ શેઠ - અમદાવાદ, કમલેશભાઈ શેઠ સેવમમરા વાળા - નિલેષભાઈ માંડલિયા - ધ્રોલ, અંકીતભાઈ હળવદિયા-રાજકોટ, પ્રિન્સભાઈ શેઠ - સુરેન્દ્રનગર, જીતેન્દ્રભાઈ ખિલોસીયા - હિંગના, મયુરભાઈ માંડલિયા-કેજ, સુનીલભાઈ રાણપરીયા- સુરેન્દ્રનગર, અમોલભાઈ શેઠ - મુંબઈ વાળા સૌના સહિયારા પરિશ્રમ અને સાથ સહકાર થકી આ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સંપર્ક સેતુ માટે નિતીનભાઈ માંડલિયા - ધ્રોલ (મો.9879993304)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech