દેણુ અને બીમારીના લીધે આર્થિક સંકડામણમાં સપડાતા ભાગી ગયો...રેલનગરમાં સમૂહલગ્નમાં છેતરપિંડી પ્રકરણમાં મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલાનું રટણ

  • May 26, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેલ નગરમાં ગત ફેબ્રુઆરી માસમાં ઋષિવંશી સેવા સંઘના નેજા હેઠળ સમૂહલગ્નનું આયોજન કરવાની જાહેરાત કરી ૨૮ વર-વધુની ફી ઉઘરાવી લગ્નના દિવસે જ ૨૮ વર-વધુને લગ્નસ્થળ પર જ રઝળાવી આયોજકો ફરાર થઈ ગયાં હતાં. જે ગુનામાં મુખ્ય સૂત્રધાર અને આયોજક ચંદ્રેશ છાત્રાલાને પોલીસે ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની પુછતાછમાં દેણું અને બીમારીના લીધે આર્થિક સંકડમણમાં સપડાતા તે નાસી ગયો હોવાનું આરોપીએ રટણ કર્યું હતું.


૮.૪૦ લાખ રોકડ મેળવી આયોજકો ફરાર થઇ જતા ફરીયાદ નોંધાવી હતી

શાપર રહેતાં કાનજીભાઈ દેવશીભાઇ ટાટમીયાએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં રેલનગરમાં ગઈ તા.૨૨-૨ ના ઋષિવંશી સેવા સંઘના નેજા હેઠળ સમૂહલગ્નમાં સવારના સાત વાગ્યાની આસપાસ સગા સંબંધી કંકોત્રીમાં જણાવેલ લગ્ન સ્થળ ખોડીયાર હોટેલની સામે બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે એડીબી હોટેલ સામે રેલનગર ખાતે ગયેલ તો ખુલ્લી જગ્યામાં ફકત મંડપ નાખેલ હોય અને થોડીવારમાં અલગ અલગ કન્યા તેમજ વરરાજા પક્ષના મેહમાનો તેમજ તેમના સંગા સંબંધીઓ આવવા લાગેલ હતાં. લગ્નના આયોજનમાં કોઈ ખાણીપીણીની વ્યવસ્થા કે કોઇ જ લગ્નનું આયોજન કરેલ ના હોય, તેમજ આયોજકને ફોન કરતા ફોન બંધ આવતા ચંદ્રેશ છાત્રોલાના પરે જતા પરે તાળુ મારેલ હતું. હોય જેથી લગ્ન મંડપમાં હાજર વર કન્યાના કુલ ૨૮ વર વધુના કુલ રૂ.૮.૪૦ લાખ રોકડ મેળવી આયોજકો ફરાર થઇ જતા ફરીયાદ નોંધાવી હતી.


અગાઉ અન્ય આયોજકની ધરપકડ કરાઇ હતી

જે ગુનામાં અગાઉ અન્ય આયોજકની ધરપકડ કરાઇ હતી. પરંતુ મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા હાથ લાગ્યો ન હતો. ગુનાની ગંભીરતાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાએ આરોપીને પકડવાની આપેલ સૂચનાથી છેલ્લા બે માસથી પોલીસ પકડથી દૂર રહેલ મુખ્ય સૂત્રધારને પકડવા નાસતા ફરતા સ્કોડ-૨ ના પીએસઆઈ આર.આર.કોઠીયા અને ટીમ તપાસમાં હતી ત્યારે સ્ટાફને મળેલ સંયુકત બાતમીના આધારે નાસતા ફરતા ચંદ્રેશ જગદીશ છાત્રોલા (રહે. વાવડી પુનીતનગર ટાંકા પાસે મનસુખભાઇ છાપીયા ટાઉનશીપ ફલેટ નં.આઇ-૮૦૪) ને પોતાના ઘરેથી જ દબોચી લઈ પ્ર. નગર પોલીસ હવાલે કર્યો હતો.


૧૫ દિવસ પહેલાં જ તે પોતાના ઘરે આવ્યો હતો

વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા રાજકોટથી સુરત, નડિયાદ તરફ ભાગતો ફરતો હતો અને ત્યાંથી ૧૫ દિવસ પહેલાં જ તે પોતાના ઘરે આવ્યો હતો. તેમની પત્ની સવારે કામ પર જાય ત્યારે બહારથી તાળું મારી જતી અને આરોપી અંદર પુરાઈને રહેતો હોવાની ખુલ્યું હતું. હાલ પોલીસે તેને બે દિવસના રીમાન્ડ પર લીધો છે. પોલીસની પુછતાછમાં દેણું અને બીમારીના લીધે આર્થિક સંકડમણમાં સપડાતા તે નાસી ગયો હોવાનું આરોપીએ રટણ કર્યું હતું.


આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં હેડ કોન્સ.ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા સાથે રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News