રાજકોટ મહાનગરપાલિકા ને કરોડો રૂપિયાનો મિલકત વસૂલવાનો બાકી રહેતો હોય હવેથી મોટી રકમના બાકીદારોને તેમના રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર વોર્ડ ઓફિસ ખાતેથી ફોન કરવામાં આવશે કે તમે મિલકત વેરો ભરવા કયારે આવો છો તે જણાવો. નહીં તો અમે બ લેવા માટે આવીએ ! પિયા પાંચ લાખથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા બાકીદારોની સંખ્યા ૧૨૦૯એ પહોંચી ગઈ છે અને તેમની પાસેથી કુલ માંગણું .૧૧૭૪. ૭૮ કરોડ વસૂલવાનું થાય છે
બાકી વેરો વસુલવા માટે તમામ બાકિદારોને પોસ્ટ વિભાગ મારફત બીલ–કમ–ડિમાન્ડ નોટીસ ની મોકલવા પોસ્ટ વિભાગને આપવામાં આવેલ છે.૫૦,૦૦૦ થી વધુ રકમના બાકીદારોને બ બીલ–કમ–ડિમાન્ડ નોટીસની બ બજવણી કારવામાં આવેલ છે, જેમાં કુલ ૧૩૦૪૧ બાકીદારોને બ બજવણી કરવામાં આવેલ છે.
વોર્ડ ઓફિસ ખાતેથી બાકિદારોને ટેલિફોનીક જાણ કરવામાં આવે છે.બ નોટીસ બજવણી કરવા છતા બીલ ન ભરપાઇ કરનાર બાકિદારોને જી અંગેની નોટીસ આપવામાં આવેલ છે, જેમાં કુલ ૫૭૬૧ બાકીદારોને જી અંગેની નોટીસ આપવામાં આવેલ છે.જીની નોટીસ આપ્યા બાદ પણ બીલ ન ભરપાઇ કરનાર બાકિદારોની મિલ્કતો સીલનળ કનેકશન કપાત કરવામાં આવે છે, જેમાં કુલ ૧૪૫૦ મિલકતોમાં સીલની કાર્યવાહી કરતા ૮૬૮ મિલકતોમાં વસુલાત આવેલ તથા પ૮ર મિલકતો સીલ કરવામાં આવેલ છે. સીલ કરેલ મિલ્કતોનો વેરો ભરપાઇ ન કરનાર બાકિદારોની મિલ્કતોની હરરાજી કરેલ વેરો વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તારીખ ૧૩–૧–૨૦૨૫ની સ્થિતિએ કુલ ૧૧૭૪.૭૮ કરોડ માંગણાની સામે ૩૩૭.૧૮ કરોડ વેરો વસુલ કરવામાં આવેલ છે.
વિશેષમાં ટેકસ બ્રાન્ચ ના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખાના રજીસ્ટરે ૫ લાખથી વધુ રકમ બાકી હોઈ તેવી ૧૨૦૯ મિલકત નોંધાયેલ છે. જેમાં ગવર્નમેન્ટની કુલ ૨૭૯ મિલકતો માટે ડીમાન્ડ લેટર લખવામાં આવે છે, ૩૪ જેટલી મિલકતોમાં કોર્ટ કેસ ચાલુ હોય તેના ચુકાદાને આધીન મિલકત વેરો વસુલવાનો થાય તથા રાજકોટ મહાનગરપાલિકાની ૧૮૮ મિલકતમાં તબ્બકાવાર મિલકત વેરાનું પેમેન્ટ કરવામાં આવે છે તદુપરાંત ટાવરના ૪૧૯ મિલકતો તથા અન્ય મિલકતો માટે નિયમાનુસાર બીલ ડીમાન્ડ નોટીસ તથા જીની કાર્યવાહી હાથ ધરી રકમ વસુલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech