મકરસંક્રાંતિના પવિત્ર દિવસે 31 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે: આગામી રવિવારે સમુહ લગ્નોત્સવ સંદર્ભે અગત્યની બેઠક
સમસ્ત મહેશ્ર્વરી મેઘવાર સમાજ દ્વારા છેલ્લા 21 વર્ષથી સમુહ લગ્નસમિતિના નેજા હેઠળ અનેક સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, આરોગ્ય, રમતગમત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, સાથોસાથ દાતાઓ અને જ્ઞાતિજનોના સાથ-સહકારથી સમુહલગ્નનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે મહેશ્ર્વર મેઘવાર સમુહલગ્ન સમિતિ દ્વારા ઢીચડા સ્થિત સમાજની વાડી ખાતે સમુહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 31 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે.
22માં સમુહલગ્નોત્સવ (ક્ધયા વણંઝ) અંતર્ગત તા.5-1-2025 રવિવારે સવારે 10 વાગ્યે ડો.બાબાસાહેબ આંબેડકર હોલ સાતરસ્તા ખાતે કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ જ્ઞાતિજનો, ધર્મગુઓ, મહારાજશ્રીઓ, કાર્યકતર્ઓિને ઉપસ્થિત રહેવા સમુહ લગ્ન સમિતિના હોદેદારો દ્વારા અપીલ કરવામાં આવી છે.
સમુહ લગ્નોત્સવમાં 31 ક્ધયાઓના કરીયાવર પેટે દાન ચીજ વસ્તુઓ આપવા તેમજ રોકડ અનુદાન આપવા ઇચ્છતા દાતાઓએ આયોજકોનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. આ સમુહલગ્ન અંગેની વિશેષ વિગત તથા માહિતી માટે સુરેશભાઇ માતંગ મો.98252 95958, જયંતભાઇ વારસખીયા મો.99098 33666, માધવભાઇ ડગરા મો.93281 09904, પૂર્વ નગરસેવક સામાજીક કાર્યકર દિપુભાઇ પારીયા મો.97236 90364, લાખાભાઇ ફફલ મો.99251 08861, વિરજીભાઇ રોસીયા મો.97125 80644, કિશનભાઇ નંજાર મો.81413 335555, વિજયભાઇ નંજાર મો.95746 10123, બીપીનભાઇ ધુલીયા મો.98988 97349, કેશુભાઇ પરમાર મો.99047 47930, રાજેશભાઇ જાદવ મો.98255 55399, તુષારભાઇ માતંગ (ભાટીયા) મો.88662 26712નો સંપર્ક સાધવો તેમ જયંતભાઇ વારસખીયા તથા પૂર્વ નગરસેવક દિપુભાઇ પારીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech