ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) હવે MDH અને એવરેસ્ટના મસાલાનું નિરીક્ષણ કરશે. FSSAIએ સ્પાઈસ બોર્ડ પાસેથી પણ માહિતી માંગી છે. આગળ જાણો કયા મસાલામાં આ કેમિકલ હોય છે અને કયા દેશોમાં તે પ્રતિબંધિત છે.
મળતી માહિતી મુજબ આ મસાલાઓમાં કેન્સર માટે જવાબદાર કેમિકલ ઈથિલિન ઓક્સાઈડનું પરીક્ષણ કરવામાં આવશે. સિંગાપોર અને હોંગકોંગમાં પણ MDH અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇથિલિન ઓક્સાઈડની માત્રા વધુ હોવાને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ મસાલામાં મળી આવ્યું પ્રમાણ
આ ખતરનાક મસાલા મદ્રાસ કરી પાઉડર, મિશ્ર મસાલા પાવડર અને MDH મસાલાના સંભાર મસાલા અને એવરેસ્ટ મસાલાના ફિશ કરી મસાલામાં મળી આવ્યા છે.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ટાળો
એમડીએચ અને એવરેસ્ટ બંને દેશની પ્રખ્યાત મસાલા કંપનીઓ છે. દેશના કરોડો ઘરોમાં આ મસાલાનો ઉપયોગ થાય છે. જો તમે આ મસાલા ખરીદ્યા હોય તો વધુ સારું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ટાળો.
FSSAIના સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં વેચાતી તમામ મોટી મસાલા બ્રાન્ડના ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવશે. મસાલામાં ખતરનાક રાસાયણિક તત્ત્વોની હાજરી શોધવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક બ્રાન્ડની 4-5 પ્રોડક્ટ્સનું પરીક્ષણ કરવામાં આવશે. ભારતમાં ખાદ્ય ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જો કોઈ પ્રોડક્ટમાં ઈથિલિન ઓક્સાઈડ જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. નિયમિત પરીક્ષણમાં ભારતમાં કોઈપણ ઉત્પાદનમાં ઇથિલિન ઓક્સાઇડ મળ્યું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech