હોળીની જ્વાળા છેક દ્વારકાથી પણ દેખાય છે...
હિંદુ પરંપરા મુજબ 14 માર્ચે હોળી દહન કરવામાં આવ્યુ હતું. સમગ્ર દેશમાં હોળી દહન થયુ હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડના બરડા ડુંગર ઉપર કાનમેરાની ટેકરી પર ભગવાન શ્રી દ્વારકાધીશે હોળી પ્રગટાવી હતી. તે હોળી આજ દિ સુધી કરવામાં આવે છે. માન્યતા મુજબ આ હોળી સૌ પ્રથમ ભગવાન શ્રી દ્વારકાધીશે પ્રગટાવી હતી તે જ પરંપરા હાલ ભાણવડના લોકોએ જાળવી રાખી છે તેમજ આજુબાજુના ગામમાંથી અને સમગ્ર રાજયમાંથી લોકો હોળી દહનનો લ્હાવો લેવા માટે બરડા ડુંગર પર આવે છે.
માન્યતા મુજબ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કાનમેરાની હોળી પ્રાગટય થાય છે બાદમાં બીજી બધી હોળીનું પ્રાગટય કરવામાં આવે છે તેમજ આ હોળીની જવાળા છેક દ્વારકા સુધી દેખાય છે. ભાણવડના બરડા ડુંગરની ગોદમાં આવેલ કાનમેરાની ટેકરી જયા ભગવાન શ્રી કૃષ્ણએ હોળી પ્રગટાવી હતી. હોળી પ્રગટે ત્યાર બાદ જ સૌરાષ્ટ્રની બધી હોળી પ્રગટાવવામાં આવતી હતી અને કાનમેરાની હોળીની જવાળા છેક દ્વારકાથી પણ જોઈ શકાય છે. આજે પણ કાનમેરાની હોળીના દર્શન કરવા માટે બરડા પંથકના લોકો જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજાયો
April 19, 2025 12:24 PMજામનગરમાં મહિલા પોલીસકર્મી અને પતિના નિધન બાદ માસુમ પુત્રીને આર્થિક સહયોગ
April 19, 2025 12:17 PMજામનગર જિલ્લાના ૩૦૬૬ બાળકો ખાનગી શાળામાં ફ્રી પ્રવેશથી વંચિત
April 19, 2025 12:10 PMજામનગર-દ્વારકા જિલ્લાના ૩ ચીફ ઓફીસરની નિમણુંક કરાશે
April 19, 2025 12:07 PMભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ
April 19, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech