સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ પરના સવાલો ર્દુભાગ્યપૂર્ણ: શારદા પીઠાધીશ્ર્વર
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લા ઘણા વર્ષથી એકથી વધુ વખત ધાર્મિક લાગણી દુભાય તેવા કથીત નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે, હજુ થોડા સમય પહેલા જ સંત શીરોમણી જલારામ બાપા વિશે બફાટ કયર્િ બાદ માફી માટે વિરપુર લાંબા થવું પડયું હતું, એ વિવાદ હજુ શાંત થયો છે ત્યાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગંથમાં દ્વારકા વિશેના કથીત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રીજી સંકલ્પ મુર્તિ સદગુરૂ શ્રી ગોપાળનંદજી સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાતર્િ નં.33માં કથીત રીતે જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલો ઉભા કરાયા હોય તેમ દ્વારકામાં ભગવાન કયાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાવ... એવો ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવતાં સનાતન ધર્મીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે.
આ સવાલો સામે શારદા પીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે સોશ્યલ મીડીયાના વિડીયો મારફત કઠોર શબ્દોમાં નિવેદનને વખોડતા જણાવેલ કે, ભગવાન દ્વારકાધીશ, દ્વારકા મે નહીં હૈ, વડતાલ મે હૈ... સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ પરના સવાલો ર્દુભાગ્યપૂર્ણ છે, વિશેષમાં જણાવ્યું કે, સનાતન ધર્મીઓએ એકતા દાખવવી જોઇએ અને અંદરોઅંદરના વિવાદ ટાળીને વિધર્મીઓ સામે એકજુથ થવું જોઇએ.
હિન્દુ સનાતન ધર્મીઓ સાથે કયારેય સ્વામીનારાયણ સંપ્રદાય વિશે અશોભનીય ટીપ્પણી કરી નથી ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયએ પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન સ્વામીના ખોટા અને અશોભનીય નિવેદનોથી બચવું જોઇએ. આ કથીત લખાણના વિરોધમાં દ્વારકા વેપારી એસો.એ પણ વિરોધ વ્યકત કર્યો છે અને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech