વિપક્ષના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. આજે શિયાળુ સત્રના બીજા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના ભારે હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
લોકસભામાં ચર્ચા શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ ભારે હંગામો મચાવ્યો હતો. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. 12 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સવાર સુધી સ્થગિત કરી દીધી.
વિપક્ષી સાંસદો UPના સંભલમાં થયેલી ગરબડ અને અદાણી સાથે જોડાયેલા મામલાને લઈને લોકસભામાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. વિપક્ષની માંગ પર લોકસભા સ્પીકરે કહ્યું કે ગૃહને કામકાજ કરવા દેવામાં આવે. દરેક મુદ્દા પર ચર્ચા થશે.
રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
લોકસભાની સાથે રાજ્યસભામાં પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી પહેલા સવારે 11.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ સરકાર પર સવાલો ઉઠાવ્યા
રાહુલ ગાંધીએ સંસદની કાર્યવાહી પહેલા મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તમને લાગે છે કે અદાણી આરોપો સ્વીકારશે? સ્વાભાવિક રીતે તે આરોપોને નકારી કાઢશે. મુદ્દો એ છે કે અમે કહ્યું છે કે, તેમની ધરપકડ થવી જોઈએ. નાના આરોપોમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. અને સજ્જન (ગૌતમ અદાણી) પર અમેરિકામાં હજારો કરોડ રૂપિયાના આરોપો છે, તે જેલમાં હોવા જોઈએ પણ સરકાર તેને બચાવી રહી છે.
સપા સાંસદ ડિમ્પલ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે પેટાચૂંટણી દરમિયાન પ્રશાસન પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો હતો. ડિમ્પલ યાદવે કહ્યું, "વહીવટી તંત્રએ બૂથ કેપ્ચરિંગનું કામ કર્યું અને આજે જ્યારે આપણે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે અમે ઈચ્છીએ છીએ કે આપણો દેશ બંધારણથી ચાલે. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી જે રીતે સંભલની ઘટના બની તે જોઈને હું ચોંકી ગઈ છું. એવું લાગે છે કે આ ઘટના સરકાર અને ભાજપની નીતિ અને હેતુઓ પર મોટા પ્રશ્નો ઉભા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech