રાજકોટના લોકમેળામાં વરસાદના પાણી ફરી વળ્યા, સ્ટોલ ધારકોને પડ્યા પર પાટું

  • August 25, 2024 12:29 PM 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અનેક શહેરોને મેઘરાજાએ ધમરોળ્યા હતા અને ગઈકાલ સાંજથી જ રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજે સવારથી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેથી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તહેવાર પર વરસાદને કારણે લોકો નિરાશ થયા છે.


સાતમ આઠમ નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એવો રાજકોટના લોકમેળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને મેઘરાજાએ રાજકોટ વાસીઓની રજાના રંગમાં ભંગ પાડ્યો છે.

સાતમ-આઠમ નિમિતે યોજાયેલા સૌરાષ્ટ્રના મેળામાં વરસાદની અસર જોવા મળી રહી છે. રાજકોટમાં વરસાદના કારણે મેળા ખાલી પડ્યા છે.વરસાદને કારણે મેળાની બધી રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ ધારકોને ભારે નુકસાન થવની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application