સલાયા મરીન પોલીસ સ્ટેશને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી નિતેશ પાંડે સાહેબની અધ્યક્ષતામાં એક લોકદરબાર યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં વહાણવટી ભાઈઓ,ફિશરમેન,વેપારી આગેવાનો,અને પત્રકાર મિત્રો ખાસ હાજર રહ્યા હતા.આં લોકદરબારમાં એસપી સાહેબ દ્વારા ફિશરમેન ભાઈઓને આવનારા મોન્સુન માં સરકાર શ્રીના નિયમ મુજબ ફિશિંગમાં નાં જવા સૂચન આપેલ હતું.તેમજ આવનારી ચુંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સૂચના આપેલ હતી.તથા દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાશીલ હિલચાલ જણાઇ તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના અપાઇ હતી.આં તકે સલાયા માછીમાર આગેવાનો દ્વારા મોનસુનમાં નાના હોડીઓ વારા માછીમાર ભાઈઓને ફિશીંગ માટે જવા દેવા રજૂઆત કરાઈ હતી. આ તકે સલાયા વેપારી મંડળ પ્રમુખ ભરતભાઇ એ પણ માછીમાર ભાઈઓની આં રજૂઆતને સમર્થન આપ્યું હતું. એસપી સાહેબ દ્વારા આં રજૂઆતને ઉપર સુધી પહોચાડવા ખાતરી આપી હતી.અને આગળ સરકારશ્રીના સૂચન મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી જાણ કરાઇ હતી.અંતે વેપારી મંડળ તેમજ જુદીજુદી સંસ્થાઓ દ્વારા એસપી સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૩૮ ડીગ્રીના તાપમાન અને ૭૭ ટકા સાથેના ભેજથી લોકો અકળાયા
May 17, 2025 03:43 PMકોર્પોરેશનના આવાસ મેળવવા પડાપડી ૧૮૧ આવાસો માટે ૩૫૪૮ અરજી આવી
May 17, 2025 03:26 PMકુખ્યાત અજય પરસોંડાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું
May 17, 2025 03:24 PMટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ: ૬૬ હજારનો મુદામાલ કબજે
May 17, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech