આજે શ્રી રામ પ્રાગટ્ય તથા કૃષ્ણ જન્મોત્સવના વિવિધ કાર્યક્રમો
ખંભાળિયામાં જૂની લોહાણા મહાજન વાડી ખાતે ગોકાણી પરિવાર દ્વારા તા. 21 થી 28 નવેમ્બર સુધી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં જાણીતા કથાકાર શાસ્ત્રી પૂજ્ય ચંદ્રેશભાઈ શાસ્ત્રીજી (પોરબંદર વાળા) બિરાજીને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આ ભાગવત સપ્તાહમાં આજરોજ રવિવારે રાત્રે પુષ્ટિમાર્ગીય સત્સંગ સાથે શ્રીનાથજીના દર્શનની ઝાંખીના આયોજનમાં જાણીતા કલાકારો દ્વારા ઝાંખીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
આ ઉપરાંત આવતીકાલે સોમવારે સવારે શ્રી રામ પ્રાગટ્ય, બપોરે 12 વાગ્યે વામન પ્રાગટ્ય તેમજ સાંજે 6 વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવના વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સાથે સાથે મંગળવાર તા. 26 ના રોજ યોજાયેલા લોટી ઉત્સવ અને માળા પહેરામણી મનોરથ પ્રસંગે અહીંના શ્રી સેવા કુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજી માળા પહેરામણી કરશે. આ સાથે મંગળવારે રાત્રે જાણીતા સાજીંદાઓ કલાકારો સાથેના લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે.
આ પ્રસંગે દરરોજ સવારે 9:30 થી 12:30 તથા સાંજે 4 થી 7 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક પરિવારના અશોકકુમાર થાવરદાસ ગોકાણી તેમજ જયેશભાઈ મણીલાલભાઈ ગોકાણી પરિવાર દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMરાજકોટમાં નર્સની હત્યા કરનાર હત્યારો વિકૃત, મોબાઈલ ફોનમાં થોકબંધ અશ્લીલ વીડિયો મળી આવ્યા
May 14, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech