હ પંચવટી સોસાયટી પાસે ભૂતડાદાદાના મંદિર પાસે ઉભેલી ગાયોના સમૂહ ઉપર શિકાર કરવા દોટ મુકતા એક વાછરડી હરસિધ્ધિનગરમાં આવેલ ગાયત્રી વિધાલયના ખુલ્લ ા દરવાજામાં ઘુસી ગઇ હતી અને સિંહ તેમની પાછળ આવી હત્પમલો કરી મોત નિપજાવી અને શાળાના મેદાનમાં લટાર મારી હતી તેમજ શાળાના બિલ્ડિંગના દાદરા ઉપર ચડી જતાં આ દ્રશ્યો શાળામાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. આ સમય શાળાની ઓફીસના કાર્યાલયમાં રહેલ શાળાના શિક્ષક કિરણભાઈ, ટ્રસ્ટી દિનેશભાઈ અને સ્ટાફ જોઈ જતા ગીર પૂર્વ વન વિભાગના ઉનામાં આવેલ કચેરીને જાણ કરી હતી. સદનસીબે વહેલી સવારનો સમય હોય શાળામાં હજુ બાળકો આવેલ ના હોય વિધાર્થીઓને શાળાના ગેટ બહાર રહેવા સૂચના આપેલ હતી. વન વિભાગના કર્મચારીઓએ આવીને જોતા સિહ શાળાના બિલ્ડિંગના પાછલા દરવાજેથી નદી કાંઠે બાવળની વાડમાં જતો રહ્યો હતો. વન વિભાગના કર્મચારીઓએ મારણ કરેલ ગાયની વાછરડીનું પંચનામુ કરી મૃતદેહને લઇ ગયા હતા. આ વિસ્તાર ગાયત્રી સોસાયટી, પંચવટીનગર, આશિર્વાદ સોસાયટી અને હરસિધ્ધિનગર વિસ્તારમાં દીપડા તો અવારનવાર આવી પશુ અને પ્રાણીનો શિકાર કરી જાય છે, પરંતુ સિહ પ્રથમવાર આવી ચડતા તેમાંય શાળાના બિલ્ડિંગમાં ઘુસી જતા આ વિસ્તારમા રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech