અમરેલીના પાણીયા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. 7 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બગસરા તાલુકાના પાણીયા ગામે રાહુલભાઈ નારુભાઈ બારૈયા નામનો 7 વર્ષનો બાળક આજે સવારે 8:30 કલાકે નદીમાં પાણી ભરવા જઈ રહ્યો હતો, ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. સિંહે બાળકને ગંભીર રીતે ઘાયલ કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાથી પરિવારમાં ભારે દુઃખ અને આઘાત લાગ્યો છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો હવે એકલા બહાર નીકળતા ડરી રહ્યા છે. સિંહના હુમલાની ઘટનાઓએ વન્યજીવો અને માનવ વચ્ચેના સંઘર્ષને ફરી એકવાર પ્રકાશમાં લાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech