માધાપર ચોકડીએ લાઇન લિકેજ, રેલનગર- પોપટપરા-કૃષ્ણનગરમાં પાણી વિતરણ ઠપ

  • April 14, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન શહેરના વોર્ડ નં.૩માં માધાપર ચોકડીથી રેલનગર તરફ જવાના રસ્તે આજે ૫૦૦ એમએમની પાઇપલાઇનમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય જવા પામી હતી. ૧૨ કલાક સુધી પાણી ના મળવાના કારણે ગૃહિણીઓમાં જબ્બરો બેકારો બોલી ગયો હતો.

વિશેષમાં પ્રાપ્ત માહિતી મુજબ માધાપર ચોકડીથી રેલનગર તરફ જવાના વિસ્તારમાં આજે સવારે ૫૦૦ એમએમની પાણીની પાઇપલાઇનમાં વાલ્વમાં ભંગાણ સર્જાયુ હતું .જેના કારણે સવારના સમયે થોડોવાર પાણી વિતરણ કરાયા બાદ પાઇપલાઇન તૂટવાના કારણે વિતરણ અટકાવી દેવાની ફરજ પડી હતી.રીપેરીંગની કામગીરી શરૂ કરાય હતી સવારે પાંચ વાગ્યે બાદ પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બપોરે ત્રણ વાગ્યા આસપાસ પાઇપલાઇન રીપેરીંગનું કામ પૂરું થયું હતું. દરમિયાન પાણીના ટાંકામાં લેવલ થયા બાદ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.

રેલનગર અને પોપટપરા સહિતના વિસ્તારમાં નિર્ધારિત સમય કરતા ૧૨ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. એક યા બીજા કારણોસર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય રહી છે. ગત સપ્તાહ પણ શહેરના પાંચ વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો હતો ઉનાળામાં પાણીની હાડમારી થઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application