માવઠાની આગાહીને પગલે રાજકોટના બેડી માર્કેટમાં મર્યાદિત વાહનોને જ એન્ટ્રી અપાઇ રહી છે. ખેડૂતોને માલ ઢાંકીને લાવવા અને વેપારીઓને ખુલા મેદાનમાં માલ નહીં રાખવા તાકિદ કરતો પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે. હાલ સીઝનમાં દરરોજ ૨૦૦૦ જેટલા વાહનોને પ્રવેશ અપાતો હોય છે, યારે આજે વાતાવરણને ધ્યાને લઇને ૭૦૦થી ૮૦૦ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમ રાજકોટ માર્કેટ યાર્ડના સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશેષમાં ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી સેક્રેટરી બી.આર.તેજાણીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં કામકાજ કરતાં વેપારીઓ, દલાલો તેમજ ખેતપેદાશ વેચાણ અર્થે બહારગામથી આવતા ખેડૂતોને જણાવવાનું કે, ગુજરાત રાયમાં પુન: આજે તા. ૧૫ એપ્રિલ સુધી માવઠાની હવામાન ખાતાની આગાહી ધ્યાને લઇ કોઇ પણ ખેતપેદાશ માર્કેટ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં કે વરસાદને કારણે પલળી જાય તેમ ઉતારવી નહિ. તેમજ અગાઉ ઉતારેલ જણસીઓને ઢાંકીને સલામત રાખવાની રહેશે. પ્લેટફોર્મમાં જ તમામ ખેતપેદાશો ઉતારવાની રહેશે, પ્લેટફોર્મમાં જગ્યા ન હોય તો જે તે દલાલની દુકાને સલામત રીતે ખેત પેદાશ ઉતારવાની રહેશે. તેમજ, વાહનોમાં આવતી ખેતપેદાશો–પાલ સલામત રીતે ઢાંકીને ક્રમ વાર વાહનો ઉભા રાખવા ખાસ નોંધ લેશો. ઉપરોકત સુચનાનું સલામતીના કારણોસર અચૂક પાલન કરવાનું રહેશે તેમ પરિપત્રના અંતમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech