BREAKING NEWS

'અર્થ અવર' નિમિત્તે ઈન્ડિયા ગેટ અને અક્ષરધામ મંદિરની લાઈટો બંધ કરાઈ, દેશભરમાં ઉર્જા બચાવવાનો સંદેશ

  • March 28, 2026 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યાવરણ જાળવણી અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવાના પ્રતીકરૂપે દર વર્ષે યોજાતા 'અર્થ અવર' (Earth Hour) ની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. દેશની રાજધાની દિલ્હીમાં રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યા દરમિયાન ઐતિહાસિક સ્મારકો અને ધાર્મિક સ્થળો પર અંધકાર છવાઈ ગયો હતો, જે ઉર્જા સંરક્ષણ માટેની ભારતની કટિબદ્ધતા દર્શાવે છે.


ઈન્ડિયા ગેટ અને અક્ષરધામ અંધકારમાં ડૂબ્યા
દિલ્હીના હૃદય સમાન ઈન્ડિયા ગેટ અને વિશ્વભરમાં પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરમાં નિર્ધારિત સમયે લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન બિનજરૂરી વીજળીનો વપરાશ ટાળીને લોકોએ આ વૈશ્વિક ચળવળમાં ભાગ લીધો હતો. ઈન્ડિયા ગેટ જે સામાન્ય રીતે રોશનીથી ઝળહળતો હોય છે, ત્યાં લાઈટો બંધ થતા એક ગંભીર અને પ્રેરણાદાયક દ્રશ્ય સર્જાયું હતું.


શું છે અર્થ અવર?

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાનનો હેતુ લોકોને વીજળીની બચત અને પ્રકૃતિના મૂલ્ય વિશે જાગૃત કરવાનો છે. દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે આ કાર્યક્રમ યોજાય છે. જેમાં ૧૯૦ થી વધુ દેશો આ અભિયાનમાં જોડાય છે અને એક કલાક માટે લાઈટો બંધ રાખે છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી અને પૃથ્વીના સંસાધનોના રક્ષણ માટે સંકલ્પ લેવો.


​​​​​​​માત્ર સરકારી ઈમારતો જ નહીં, પરંતુ અનેક રહેણાંક સોસાયટીઓ અને બિઝનેસ સેન્ટરોએ પણ સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ રાખીને આ અભિયાનને સફળ બનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ 'EarthHour' હેશટેગ સાથે લોકોએ કેન્ડલ લાઈટમાં સમય વિતાવતા ફોટા શેર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News