ભાવનગર જિલ્લામાં આજે શનિવારે ભારે વરસાદની આગાહી વચ્ચે સવારે તળાજામાં હળવુ ઝાપટુ પડ્યુ હતુ.જિલ્લાના અન્ય નવ તાલુકાઓમાં બપોર સુધી મેઘવિરામ રહયો હતો.મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી થતા નગરજનોએ ગરમી અનુભવી હતી.જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૮૦૭ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી ૩ ઈંચ વધીને આજે બપોરે ૨૩.૧૦ ફૂટ રહી હતી.ભાવનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ભાવનગર જિલ્લામાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે સવારે તળાજામાં હળવુ ઝાપટુ પડયુ હતા.આથી એક મિ.મી. વરસાદ નોંધાયો હતો.ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૮૦૭ ક્યુસેક પાણીની આવક શરૂ છે. આથી ડેમની સપાટી ૩ ઈંચ વધીને આજે બપોરે ૨૩.૧૦ ફૂટ રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં વરસાદી વાતાવરણથી મહત્તમ તાપમાન ઘટીને ૩૨.૨ ડિગ્રી રહયું હતું.આથી ગરમીથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે પરંતુ મન મુકીને વરસતા નથી.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. હેરનું મહત્તમ તાપમાન ૩.૬ ડિગ્રી ઘટીને ૩૨.૨ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન આંશિક ૨.૪ ડિગ્રી ઘટીને ૨૪.૮ ડિગ્રી નોંધાયુ હતુ. આજે શનિવારે સવારે ભેજ ૮૯ ટકા રહયો હતો. આથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી. રહી હતી.
શ્રાવણ માસના મધ્યમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech